Thursday, May 31, 2018

બોરદેવી જવાનાં રસ્તાનું કામ નબળું , ભ્રષ્ટાચાર થયાની ગંધ

DivyaBhaskar News Network | Last Modified - May 05, 2018, 05:45 AM IST
પથ્થરથી રસ્તો બનાવ્યો હતો અે પથ્થરો જુદા પડવા લાગ્યા
બોરદેવી જવાનાં રસ્તાનું કામ નબળું , ભ્રષ્ટાચાર થયાની ગંધ
ભવનાથથી બોરદેવી જવાનાં રસ્તાનું કામ ચાલી રહ્યું છે,કેટલાક વિસ્તારમાં કામ પૂર્ણ થઇ ગયું છે. બોરદેવી જવાનો રસ્તો બનાવાવમાં આવ્યો છે. આ રસ્તાનું કામ નબળું થયાની ફરીયાદો ઉઠી છે. બોરદેવીનો રસ્તો પથ્થરથી બનાવવામાં આવ્યો છે. પરંતુ આ કામ નબળું થયું હોય પથ્થર જુદા પડી ગયા છે. પરિણામે બોરદેવી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહી આ કામમાં ભ્રષ્ટાચાર થયાની પણ ચર્ચા જાગી છે. રેતી અને પથ્થર જંગલમાંથી લેવામાં આવ્યાની ચર્ચા જાગી છે.

આ રસ્તાનાં કામની યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે. આ ઉપરાંત અહીં એક દિવાલનું કામ થયું છે. આ દિવાલનું કામ પણ નબળું થયું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-054503-1628411-NOR.html

No comments: