વનવિભાગના સ્ટાફે દોડી જઇ દવને કાબુમાં લીધો છતાં 10 હેકટરમાં ઘાસ બળી ગયું
![સાવરકુંડલાનાં મિતીયાળા અભ્યારણ્ય નજીક લાપાળાના ડુંગરમાં દવ લાગ્યો સાવરકુંડલાનાં મિતીયાળા અભ્યારણ્ય નજીક લાપાળાના ડુંગરમાં દવ લાગ્યો](https://i10.dainikbhaskar.com/thumbnail/400x321/web2images/www.divyabhaskar.co.in/2018/05/26/a-171351509-large.jpg)
દવની ઘટનાથી સાવરકુંડલા વનતંત્ર દોડતું થયું હતું. અમરેલી ડી.સી.એફ.શકીરાના માર્ગદર્શન તળે વનવિભાગના કર્મીઓએ દવને બે કલાકમાં કાબુ મેળવી લીધો હતો. મિતિયાળા અભ્યારણ સહિત આસપાસના વિસ્તારોમાં સિંહો સાથે વન્યપ્રાણીઓનો વસવાટ વધુ હોવાથી સાવરકુંડલા વનવિભાગે ભારે સતર્કતા સાથે દવને ઓલવવા જહેમત ઉઠાવી હતી.
ફોરેસ્ટર પ્રતાપભાઈ ચાંદુ સાથે વનવિભાગના કર્મીઓ જોડાઈને વહેલી સવારે સાડા ચારે લાગેલ દવને બે કલાકમાં કાબુ મેળવી લીધો હતો. છતાં 10 હેકટર જેટલું ઘાસ બળીને ખાક થઇ ગયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે. વનવિભાગ જો સતર્કતા દાખવી ન હોત તો આ દવ વધુ વિકરાળ બનીને વધુ નુકશાન થવાની સંભાવનાઓ વચ્ચે સાવરકુંડલા રેન્જના વનકર્મીઓએ દવ પર કાબુ મેળવી લીધો હતો.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020002-1797458-NOR.html
No comments:
Post a Comment