Thursday, May 31, 2018

સોનરખ નદીમાં ગે.કા.બાંધકામ અને વૃક્ષ કટીંગ મામલે ફરિયાદ

DivyaBhaskar News Network | Last Modified - May 07, 2018, 03:00 AM IST
સાગ, બોરસ આંબલી, જાંબુ સહિતનાં 34 વૃક્ષ કાપી નાંખ્યા 5 હજાર અને 3 વર્ષ સુધીની સજાની જોગવાઇ જંગલ વિસ્તારમાં...
ભવનાથ જવાનાં રસ્તા પાસે સોનરખ નદીમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે તેમજ બાંધકામ માટે નદીમાં આવેલા વૃક્ષોનું કટીંગ કરવામાં આવ્યું છે.

આ અંગે સાધુ સામે વન વિભાગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. બનાવાની મળતી વિગત મુજબ દામોદરકુંડ પાસે મંદિરનું કામ ચાલી રહ્યું છે. આ કામને લઇ બાંધકામ કરવામાં આવ્યું છે. તેમજ નદીમાં આવેલા વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી નાંખવામાં આવ્યા છે. આ અંગે એસીએફ ખટાણાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામ અને વૃક્ષ કટીંગ મામલે મુકતાનંદગીરી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અહીં સાગ, બોરસ આંબલી, જાંબુ સહિતના 34 વૃક્ષ કાપી નાંખ્યા છે. તેમજ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-030003-1640980-NOR.html

No comments: