Divyabhaskar.com | Updated - Aug 21, 2018, 12:19 AM
શ્રાવણ માસમાં બિલ્વવનમાં રોજ 16 થી 17 મજૂરો રોજ 8 થી 9 કોથળા ભરી બિલીપત્ર ઉતારી રેંકડીમાં સોમનાથ મંદિરે પહોંચાડે છે

બિલ્વવનમાં 700 જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે અને દાદાને બિલ્વપત્ર ચઢાવાય છે
ગત વર્ષે 89 બિલીપૂજા નોંધાઇ હતી
હાલ શ્રાવણ માસમાં રોજ 16 થી 17 મજૂરો આખો દિવસ બિલીપત્ર વૃક્ષ પરથી ઉતારે છે. અને તેના 8 થી 9 કોથળા સાંજે 5:30 કલાકે રેંકડીમાં ભરીને સોમનાથ મંદિરે પહોંચાડવામાં આવે છે. શ્રાવણ માસ બાદ જોકે તે ઓછા જોઇએ છે. બિલીવૃક્ષોનું અહીં વાવેતર થયું ત્યારથી નારણભાઇ ગઢિયા તેમાં નોકરી કરે છે. બિલીપૂજા અંગે ટેમ્પલ ઓફિસર સુરૂભા જાડેજાએ કહ્યું કે, ગત વર્ષે 89 બિલીપૂજા નોંધાઇ હતી. તેને બદલે આ વર્ષે અત્યાર સુધીમાં 93 બિલીપૂજા નોંધાઇ છે. દર વર્ષે આ બિલી વૃક્ષો ઉપરાંત સાસણથી પણ બિલીપત્ર લાવવા પડતા હતા. પરંતુ આ વખતે અહીંનાં બિલી વૃક્ષોમાંથીજ પૂરતા પ્રમાણમાં બિલીપત્રો મળી રહે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-somnath-goes-to-dada-for-16-years-and-700-trees-gujarati-news-5941767-NOR.html
No comments:
Post a Comment