Friday, August 31, 2018

22 ઓગસ્ટે ગિરનારની 7મી પરિક્રમા કરાશે

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 03:46 AM

જૂનાગઢ | શ્રી જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા દર મહિનાની સુદ -11ના ગિરનારની પરિક્રમા કરવાનું નક્કી...

જૂનાગઢ | શ્રી જ્ઞાતિ સમાજો - ટ્રસ્ટોનું ઉતારા મંડળ દ્વારા દર મહિનાની સુદ -11ના ગિરનારની પરિક્રમા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ 7મી પરિક્રમા આગામી 22 ઓગસ્ટ 2018ના બુધવારે (શ્રાવણ સુદ -11ના ) સવારના 6 કલાકે કરવામાં આવશે. આ અંગે ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે દર વખતની જેમ રૂપાયતન નજીકના લાલઢોરી ચોક સ્થિત કૈવલબાગ ખાતેથી ગિરનારની પૂજા કરી સાધુ સંતોના આશિર્વાદ સાથે પરિક્રમા શરૂ કરાશે. જોકે પરિક્રમામાં જોડાનારે પોતાની જવાબદારીઅે પરિક્રમામાં જોડાવાનું રહેશે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034557-2490182-NOR.html

No comments: