Friday, August 31, 2018

ગિરનાર રોપ - વે પ્રશ્ન અંગે મિટીંગ

Divyabhaskar.com | Updated - Aug 18, 2018, 03:46 AM

જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપ -વે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે રોપ - વેની કામગીરીને લઇને ગિરનાર ડોળી વાળાને...

જૂનાગઢના ગિરનાર પર્વત પર રોપ -વે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જયારે રોપ - વેની કામગીરીને લઇને ગિરનાર ડોળી વાળાને અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવતા દરવખતે માત્ર હૈયા ધારણા જ મળી હોય રણનિતી તૈયાર કરવા 19 ઓગસ્ટ 2018ને રવિવારે સાંજના 5 વાગ્યે ગોધાવાવની પાટી સ્થિત નાથજીના દલીચામાં બેઠક મળશે. જેમાં ડોળીવાળા તેમજ કોળી સમાજના આગેવાનોને ઉપસ્થિત રહેવા ગિરનાર ડોળી એસો.ના પ્રમુખ રમેશ બાવળીયાએ અનુરોધ કરવામાં આવ્યો છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034621-2490173-NOR.html

No comments: