Friday, August 31, 2018

જટાશંકરના માર્ગમાં નથી કચરાપેટી, વાનરો ચાવે છે પ્લાસ્ટીકની બોટલ

Divyabhaskar.com | Updated - Aug 20, 2018, 04:15 AM

સ્વચ્છતાને લઈ તંત્ર દ્વારા તદ્દન સંવેદનહીન વર્તન દાખવવામાં આવે છે

જટાશંકરના માર્ગમાં નથી કચરાપેટી, વાનરો ચાવે છે પ્લાસ્ટીકની બોટલ
જૂનાગઢમાં ફરવા લાયક સ્થળોની કમી નથી, ગીરનારની તળેટી ફરવા લાયક સ્થળોથી ભરેલું પડેલું છે. જોકે લોકો છેલ્લા ઘણા વર્ષોથી જટાશંકર જતા થયા છે જેથી તે પણ એક ફરવા લાયક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે પ્રવાસીઓ ચોમાસાની સિઝનમાં જટાશંકરના ધોધ નીચે નહાવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ત્યારે ચોક્કસ પણે સીધુ ચઢાણ હોવાને લીધે લોકોને તરસ લાગવી પણ સહજ વાત છે. લોકો પાણીની બોટલ સાથે લાવે છે અથવા તો જટાશંકરના માર્ગમાંથી ખરીદે છે. પરંતુ પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થાય છે કે માર્ગમાં એક પણ કચરાપેટી ન હોવાથી પ્રવાસીઓ જ્યાં ને ત્યાં બોટલો ફેકીં દે છે. જેના લીધે ત્યાં રહેલા વાનરો તેને ચાવતા નજરે ચડે છે. જોકે સવાલ પેદા એ થાય છે કે પુરાતત્વ વિભાગે જટાશંકરને ફરવા લાયક સ્થળોમાં સ્થાન આપ્યું હોવા છતાં સ્વચ્છતાને લઈ તંત્ર દ્વારા તદ્દન સંવેદનહીન વર્તન દાખવવામાં આવે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-041506-2507745-NOR.html

No comments: