Thursday, November 1, 2007

Aaj Nu Aushadh

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

મૂત્રકષ્ટ-મૂત્રાવરોધ
અટકી અટકીને વેદના સાથે પેશાબ થતો હોય, અથવા પેશાબ છૂટથી થતો ન હોય તો ચાર-પાંચ એલચી દાણા, એક ચમચી સાટોડીનો ભૂક્કો અને એક ચમચી ગોખરુનો ભૂક્કો એક ગ્લાસ જેટલા પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળવું. ઉકાળતા જ્યારે અડધું પાણી બાકી રહે ત્યારે ઉતારી ઠંડું પાડી પી જવું. આ ઉકાળો સવાર-સાંજ તાજેતાજો બનાવીને પીવાથી મૂત્રાવરોધ, મૂત્રકષ્ટ, મૂત્રદાહ થતો મટે છે. આ ઔષધ પ્રયોગ સાથે જો અડધા ચમચા જેટલો ખાંડેલા જવનો ભૂક્કો એક ગ્લાસ જેટલા પાણીમાં નાખી ઉકાળી, ઠંડું પાડી, ગાળીને સવાર-સાંજ પીવામાં આવે તો અષ્ટિલા ગ્રંથિનો (પ્રોસ્ટેટનો) સોજો, મૂત્રકષ્ટ, મૂત્રાવરોધ, મૂત્રમાર્ગનો ચેપ, પથરી અને સોજા મટી જાય છે. કીડની રોગોમાં હિતાવહ છે.

No comments: