Friday, November 16, 2007

Aajnu Aushadh.

ચોસઠ પ્રહરી પીપર
આયુર્વેદિય ઔષધ પીપરને આપણે ગુજરાતીમાં લીંડીપીપર કહીએ છીએ. ઉત્તમ પ્રકારની લીંડીપીપર ગણદેવી અને વલસાડ તરફ થાય છે. આ લીંડીપીપરને ચોસઠ પ્રહર સુધી ખૂબ જ લસોટવાથી જે સૂક્ષ્મ બારીક ચૂર્ણ થાય તેને આયુર્વેદમાં ‘ચોસઠ પ્રહરી પીપર’ કહે છે અને લગભગ બધી જ ફાર્મસીઓ બનાવતી હોય છે. બજારમાં ઉપલબ્ધ છે. ચોખાના દાણા જેટલું અથવા ચણાના દાણા જેટલું આ ચૂર્ણ એક ચમચી જેટલા મધમાં મિશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે લેવામાં આવે તો અરુચિ, ઉધરસ, શ્વાસ, શરદી, એલર્જી, હેડકીમાં ફાયદો થાય છે અને ગળોના રસ સાથે લેવાથી હૃદયના રોગો, હાઈ કોલેસ્ટેરોલ, મેદોરોગ, કમળો, ક્ષય, વરાધ, ઇઓસોનોફિલિયા, જીર્ણજ્વર, અરુચિ અને અગ્નિમાંદ્ય મટે છે. કફનાશક ઉત્તમ ઔષધોમાં લીંડીપીપરની ગણતરી થાય છે.

No comments: