Monday, November 5, 2007

ધારીના સિંહ હત્યા પ્રકરણમાં બે શખ્સોના જામીન નામંજૂર

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

અમરેલી, તા. ૨
ધારીના પ્રેમપરા રેવન્યુ વિસ્તારમાં એક પટેલ ખેડૂતે બિછાવેલા વીજ તારથી પાંચ સિંહોની હત્યા પ્રકરણમાં ઝડપાયેલા બે શખ્સોની રાજુલા ફાસ્ટ ટ્રેક કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.વિગત મુજબ ધારી નજીક ખેતરમાં વીજશોકથી મૃત્યુ પામનાર પાંચ સિંહોની હત્યાના ગુન્હામાં મુખ્ય આરોપી દુર્લભ વાડદોરીયા સાથે મદદગારી કરનાર રવજી છગન હિરાણી અને ભલા ખીમા ભરવાડની વન વિભાગે અગાઉ ધરપકડ કર્યા બાદ આજે રવજી છગન અને ભલા ખીમાએ જામીન મેળવવા માટે રાજુલા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અરજી કરતાં કોર્ટે બન્ને આરોપીના જામીન નામંજુર કર્યા છે.

બળાત્કાર કેસમાં સ્વામી સહિત બેની મેડીકલ ચકાસણી બગસરાના માવજીંજવા ગામની પટેલ યુવતી ઉપર બળાત્કાર ગુજારનાર પંચાળા સ્વામિનારાયણ મંદિરના પાંચ સાધુઓ સામેના કેસમાં રાજુ મનસુખ અને પંચાળા મંદિરના કેશવ સ્વામીના બગસરા દવાખાને મેડીકલ ચકાસણી હાથ ધરી વિશેષ પૂછપરછ હાથ ધરી હતી.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsCatID=21&NewsID=32810&Keywords=Saurastra%20gujarati%20news

No comments: