Thursday, November 1, 2007

વનરાજનું રક્ષણ કેવી રીતે કરવું ? વનતંત્ર દ્વારા મિટિંગ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Junagadh
Tuesday, October 30, 2007 00:28 [IST]

ગીરના જંગલમાં વીજ કરંટથી પાંચ સિંહોના મૃત્યુની અત્યંત ચકચારી ઘટના બાદ વનરાજના રક્ષણ તથા જંગલ રક્ષણ માટે બોર્ડર વિસ્તારના ગામોના સરપંચો, મંડળીઓના પ્રમુખોની ગાંધીનગરથી આવેલા ઉરચ વન અધિકારીઓના અઘ્યક્ષ સ્થાને ફોરેસ્ટ ગેસ્ટહાઉસ ખાતે એક બેઠક મળી હતી.

જેમાં ગ્રામજનોનો સહકાર માંગવામાં આવ્યો હતો. સરપ્રાઇઝ વિઝિટ લેનાર સી.સી.એફ. એચ.સિંહે વન વિભાગના અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન તથા સુચિત પગલાં લેવા તાકીદ કરી હતી. તેમજ ગામોના સરપંચો, મંડળીઓનાં પ્રમુખો અને વન્ય પ્રાણી સંરક્ષણ માટે ચર્ચા કરી હતી. અને આ કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી હતી.

તેમજ ધારીના પ્રેમપરામાં પાંચ વનરાજૉની વીજકરંટ દ્વારા હત્યાના બનાવો નિવારવા માટે જન જાગૃતિ આવશ્યક ગણાવી હતી. મિટિંગમાં દસ થી વધારે ગામોના સરપંચ, ભેંસાણના તાલુકા વિકાસ અધિકારી ભૂવા, માણાવદરનાં પીએસઆઇ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/30/0710300030_save_lion.html

No comments: