Thursday, November 8, 2007

Aaj Nu Aushadh

ધાવણશુદ્ધિ મસા
(1) આયુર્વેદમાં લખાયું છે કે, કડવા રસમાં ધાવણને શુદ્ધ કરવાનો ઉત્તમ ગુણ રહેલો છે. જ્યારે કોઈ પણ કારણને લીધે પ્રસૂતા સ્ત્રીના કે બાળકને સ્તનપાન કરાવતી સ્ત્રીના ધાવણમાં કફ કે પિત્તના ગુણોનો વધારો થયો હોય તે કારેલાના સેવનથી દૂર થશે. ચાર-પાંચ ચમચી કાચા કારેલાનો રસ સવાર-સાંજ પીવો. (૨) અર્શ એટલે કે પાઈલ્સ-મસામાં કાંચનારની છાલનું ચૂર્ણ બે ચમચીની માત્રામાં માખણ અથવા દહીંના મઠા સાથે સવાર-સાંજ લેવાથી ઉદર શુદ્ધિ સરળતાથી થાય છે અને રક્તસ્રાવી મસા એકદમ શાંત થઈ જાય છે. સુરણનું એક નામ છે અર્શોઘ્ન. અર્શોઘ્ન એટલે મસાનો નાશ કરનાર. મસાવાળાએ છાશમાં બાફેલું સુરણનું શાક ખાવું.

No comments: