Monday, November 5, 2007

Aaj Nu Aushadh

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

આદુંનો અવલેહ
આશરે ૫૦૦ ગ્રામ આદુંને ખૂબ લસોટી પેસ્ટ-ચટણી જેવું બનાવી તેમાં ૫૦૦ ગ્રામ શુદ્ધ ઘી મિશ્ર કરી મંદ તાપે શેકવું. જ્યારે શેકવાથી આદું લાલ બને ત્યારે તેમાં એક કિલો ગોળની ચાસણી ભેળવી તેમાં એક એક ચમચી તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, લવિંગ, નાની હરડે, ભારંગમૂળ, અરડૂસી, લીમડાની આંતરછાલ, દેવદાર, જાયફળ, અશ્વગંધા, જાવંત્રી, અગરુ, દ્રાક્ષ આ બધાં ઔષધો ખાંડીને આ પાકમાં ભેળવી શેકી નાખી બરણી ભરી લેવી. આ થયો આદ્રાકવલેહ. આદુંનો આ અવલેહ એકથી બે ચમચી જેટલો સવારે નાસ્તો કર્યા પછી લેવાથી મંદાગ્નિ, અરુચિ, અપચો, ઊબકા, ગેસ જેવી પાચનતંત્રની વિકૃતિઓ તથા શરદી, ઉધરસ, શ્વાસ, સસણી જેવાં કફના રોગો મટે છે. આ આદ્રકાવલેહ ઘણી ફાર્મસીઓ બનાવે છે.

No comments: