Saturday, January 31, 2015

10 કરોડની ગ્રાન્ટમાંથી ગિરનારની જર્જરીત સીડીનો જીણોદ્ધાર કરો.

DivyaBhaskar News Network | Jan 31, 2015, 06:00AM IST

રાજયસરકાર દ્વારા કલેકટરને પ્રવાસ અને યાત્રાધામનાં વિકાસ માટે 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે.ત્યારે ગ્રાન્ટમાંથી પ્રથમ ગિરનાર પર્વતની સીડીઓ જર્જરીત બની ગઇ હોય તેનો જીણોધ્ધાર કરવાની જરૂર છે.તેમજ પર્વત ઉપર પાણીનાં ટાકામાં માત્ર વરસાદનાં પાણી સંગ્રહ કરવામાં અાવે છે બીજો કોઇ સ્ત્રોત હોય પાણીની વ્યવસ્થા ઉભી કરવાની માંગ ઉઠી છે.

જૂનાગઢની ઓળખ ગિરનાર પર્વત છે.ગિરનાર પર્વત ઉપર વર્ષે લાખો લોકો આવે છે.ગિરનાર પર્વત ઉપર સુવિધાને લઇને અહી આવતા પ્રવાસીઓમાં કચવાટ જોવા મળે છે.તેમજ ગિરનારનાં પગથીયા વર્ષો જૂના હોય જર્જરીત બન્યા છે.ત્યારે રાજય સરકારે પ્રવાસન સ્થળ અને યાત્રાધામનાં વિકાસ માટે 10 કરોડની ગ્રાન્ટ ફાળવી છે તેમાથી ગિરનારની સીડીનો જીણોધ્ધાર કરવાની માંગ ઉઠી છે.તેમજ ગિરનાર પર્વત ઉપર જવાનાં રસ્તામાં પાણીની વ્યવસ્થા નથી.પાણીનાં ટાંકા તો મુકવામાં આવ્યા છે.પરંતુ પાણી ભરવાની કોઇ વ્યવસ્થા નથી.ચોમાસાનો સંગ્રહ કરવામાં આવે છે.તેનો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે અહી પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી છે. ગિરનાર પર્વત ઉપર પાણીની સુવિધા ઉભી થઇ જાય તો ગિરનારનાં વિકાસમાં ફાયદારૂપ થાય તેમ છે. અને અહિં આવતા યાત્રાળુઓને બારેમાસ પાણી મળી રહે તે જરૂરીછે.

પાણીની વ્યવસ્થાઉભી કરવામાં આવે તો અહી આવતા પ્રવાસીઓને મોધુ અને વેચાતુ પાણીની ખરીદી કરવી પડે નહી.તેમજ પાણી વીનાનાં શૌચાલય પણ નકામ બન્યા છે તે કાર્યરત થઇ શકશે.અને પ્રવાસીઓ પ્લાસ્ટીકની બોટલ સો લેતા જાય છે. જે જંગલમાં ફેકી દેશે.પાણીની વ્યવસ્થા ઉભી થાય તો પ્લાસ્ટીકને પણ રોકી શકાય તેમ છે.

No comments: