Saturday, January 31, 2015

રાજુલામાં માલગાડી હડફેટે ગાયનું મોત.


રાજુલામાં માલગાડી હડફેટે ગાયનું મોત

Bhaskar News, Rajula | Jan 21, 2015, 00:27AM IST
- ગૌપ્રેમીઓએ ઘટના સ્થળે દોડી ગાયને સારવાર આપી પરંતુ કારગત ન નિવડી
- રેલ્વે ટ્રેકની બંન્ને સાઇડ તાર ફેશીંગ કરવા ઉઠી માંગ

રાજુલા: રાજુલામાં મહુવારોડ પર આવેલ ફાટક નજીક આજે બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે અહીથી પસાર થતી માલગાડી હડફેટે ગાય આવી ગઇ હતી. ઘટનાને પગલે અહી ગૌપ્રેમીઓ દોડી આવ્યા હતા. ગાયને ગંભીર ઇજા પહોંચી હોય તાબડતોબ અહીની ગૌશાળામાં સારવાર માટે લઇ જવામા આવી હતી. પરંતુ સારવાર દરમિયાન ગાયનુ મોત નિપજયુ હતુ.

માલગાડી હડફેટે ગાયના મોતની આ ઘટના રાજુલામાં મહુવારોડ પર આવેલ ફાટક નજીક બની હતી. અહી બપોરના સાડા ત્રણેક વાગ્યા આસપાસ અહીથી પસાર થતી માલગાડી હડફેટે ગાય આવી ગઇ હતી. આ અંગે અલ્તાફભાઇ કુરેશીએ ગૌશાળામાં જાણ કરતા અહી ભગીરથભાઇ વરૂ, ભવદીપભાઇ ખુમાણ, બકુલભાઇ વોરા સહિત ગૌપ્રેમીઓ દોડી આવ્યા હતા. ગાયને ગંભીર ઇજા પહોંચી હોય તાબડતોબ અહી આવેલ પુંજાબાપુ ગૌશાળામાં સારવાર માટે લઇ જવામા આવી હતી.

અહી ગાયની સારવાર કરવામા આવી હતી પરંતુ જે કારગત નિવડી ન હતી અને ગાયનુ મોત નિપજયું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે રાજુલા પંથકમાં દિવસ દરમિયાન અનેક માલગાડીઓ પસાર થતી હોય છે. અગાઉ અહી માલગાડી હડફેટે સિંહના મોતની ઘટનાઓ પણ બની ચુકી છે. ત્યારે રેલવે ટ્રેકની બંને સાઇડ તાર ફેન્સીંગ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

No comments: