Saturday, January 31, 2015

ગીરમાં સિંહની સંખ્યા 480થી વધશે.

DivyaBhaskar News Network | Jan 19, 2015, 07:35AM IST
ગીરમાં સિંહની સંખ્યા 480થી વધશે
2 હજાર જેટલા કર્મચારીઓ ગણતરી કરવામાં જોડાશે

ભાસ્કરન્યૂઝ. તાલાલા

એશિયાટીકસિંહ પ્રજાતિની વસતીનો અંદાજ મેળવવા દર પાંચ વર્ષે ગણતરી થાય છે. હવે 14મી વસતી ગણતરી તા.2 થી 5 મે દરમિયાન થનાર છે. પાંચ જિલ્લાનાં 20 હજાર સ્કવેર કિમીમાં સિંહોનો અંદાજ મેળવવા 2 હજારથી વધુ વન કર્મીઓ કાર્ય કરશે.

એશિયાટીક સિંહોની દર પાંચ વર્ષે કરવામાં આવતી ગણતરી એપ્રિલનાં અંતિમ અઠવાડીયામાં કે મે મહિનાનાં પ્રથમ અઠવાડીયામાં કરવામાં આવે છે. સમયગાળામાં ગીરનાં આરક્ષિત જંગલ, પી.એફ. જંગલ વિસ્તાર તથા ગામડાઓની બોર્ડરનાં રેવન્યુ વિસ્તારમાં નદી - નાળા - તળાવોનાં કુદરતી પાણીનાં સ્ત્રોત સુકાઇ ગયા હોય સિંહોની અવર-જવર વાળા વિસ્તારોમાં પાણીની કુંડી બનાવે છે અને ત્યાં ગણતરી માટે પોઇન્ટો ગોઠવાઇ છે.

2010માં 13મી અને હવે 2015માં 2 મેથી 5 મે સુધી ચાર દિવસ 14મી સિંહ વસ્તી ગણતરીનો કાર્યક્રમ જાહેર થયો છે. જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિત પાંચ જિલ્લાનાં 20 હજાર સ્કવેર કિમીમાં ગણતરી માટે 2 હજાર કર્મીઓ જોડાશે.

2010 બાદગણતરી થઇ રહી છે ત્યારે વન વિભાગના અધિકારીઓ કે જંગલમાં જોયેલી બચ્ચાઓની સંખ્યા અને પાંચ વર્ષ દરમિયાન સિંહ સરક્ષણ ઉપર થયેલું કામ પરથી સંખ્યા વધશે તેવું સ્પષ્ટ પણે મનાઇ રહ્યું છે. ઉપરાંત ચાર િજલ્લાના દશ હજાર ચો.કી.ને બદલે હવે સિંહોની ટેરેટરી 20 હજાર ચો.મી. સુધી વિસ્તરી છે તેમ ડો.સંદીપ કુમારે જણાવ્યું હતું.

નક્કી કઇ રીતે થયું કે સિંહોની સંખ્યા વધશે

બીટ વેરીફિકેશન પધ્ધતિથી ગણતરી થશે

સિંહની સંખ્યા જાહેર કરવામાં ભાસ્કર અગ્રેસર

13મીવસતીગણતરી પૂર્વે દિવ્ય ભાસ્કરે 28 એપ્રિલ 2010નાં અહેવાલમાં સિંહની સંખ્યા 404 થી વધી જશે એવી ધારણા બતાવી હતી અને 411 સિંહોનો આંક સત્તાવાર રીતે બહાર પડયો હતો.

14મી સિંહવસતી ગણતરી બીટ વેરીફિકેશન પધ્ધતિથી થશે એમ સાસણનાં ડીસીએફ ડો.સંદીપકુમારે જણાવ્યું હતું. જેમાં સિંહોની શારિરીક સ્થિતિ, કેશવાળી, પુંછ સહિતનું રેખાચિત્ર તૈયાર કરાશે. ગણતરી માટે પાણીનાં પોઇન્ટથી સચોટ માહિતી મેળવી શકાય છે.

No comments: