Saturday, January 31, 2015

શિવઅને જીવનાં મીલન સમા શિવરાત્રીનાં મેળા આડે ગણતરીનાં દિવસો.

DivyaBhaskar News Network | Jan 30, 2015, 08:45AM IST
શિવઅને જીવનાં મીલન સમા શિવરાત્રીનાં મેળા આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે.શિવરાત્રીનાં મેળાને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.જૂનાગઢનાં ભવનાથ ધર્મક્ષેત્રમાં તા.13 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થશે.પહેલા મેળા માટે દૂધનુ ભાવ બાંધણુ અને દૂધ કેન્દ્રો નકકી કરાયાછે.તેમજ આવતીકાલે તૈયારીને લઇને કલેકટર કચેરીમાં મીટીંગ મળશે.

જૂનાગઢનાં ભવનાથ તિર્થક્ષેત્રમાં યોજાતા પરંપરાગત શિવરાત્રીનો મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો જોડાતા હોય છે અને પૂણ્યનુ ભાથુ બાંધતા હોય છે.પરંપરાગત શિવરાત્રીનાં મેળા આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે.તા.13 ફેબ્રુઆરીથી મેળાનો પ્રારંભ થશે અને પાંચ દિવસ સુધી મેળો ચાલશે.જેમાં જૂદા-જૂદા અખડાનાં દિગમ્બર સાધુઓ દેશ ભરમાંથી આવી જશે અને ધુણી ધાખાવશે.શિવરાત્રીનાં મેળામાં આવતા લોકોની સુખાકારી સુવિધા માટે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.મેળામાં પાણી,આરોગ્ય,વાહન વ્યવહાર,સફાઇને લઇને તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.મેળાની તૈયારી માટે આવતીકાલે કલેકટર કચેરીમાં મીટીંગ મળશે.કામનુ વિભાગ અને વહેચણી કરવામાં આવશે.જૂદા-જૂદા વિભાગને કામગીરી સોંપવામાં અાવશે.પરંતુ મેળાને લઇને આજે પુરવઠા તંત્ર દ્વારા મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જિલ્લા પુરવઠા અધિકારી એમ.એમ.જોષીની અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી.

જેમાં ફૂડ એન્ડ ડ્રગ,મનપાની આરોગ્ય અધિકારી,તોલમાપ શાખા,જૂદી-જૂદી દુધ ડેરીનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.આ મીટીંગમાં દૂધનાં ભાવ અને કેન્દ્ર નકકી કરવામાં આવ્યા હતા.જેમાં શિવરાત્રીનાં મેળામાં દુધનાં ભાવ નકકી કરવામાં આવ્યા છે.બજાર ભાવ મુજબ દૂધ વેંચવામાં આવશે.તેના કરતા વધારે ભાવ લઇ શકાશે નહી.દરવર્ષે શિવરાત્રીનાં મેળામાં 13 દૂધનાં કેન્દ્ર શરૂ કરવામાં આવતા હતા.પરંતુ ચાલુ વર્ષે વધુ 15 કેન્દ્ર શરૂ કરવા દૂધ ડેરીનાં અધિકારીઓને સુચના આપવામાં આવી છે.

ભવનાથ પોલીસ સ્ટેશનમાં લોકદરબાર

મેળાનેલઇભવનાથ પોલીસ સ્ટેશનમાં સાધું-સંતો, સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ, કોર્પોરેટર, અન્નક્ષેત્રો અને ઉતારાનાં સંચાલકો સાથે ડિવાયએસપી અજય વી. ગખ્ખર અને ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ સંદિપસિંહ પરમારે લોકદરબાર યોજ્યો હતો. જેમાં સ્થાનિક લોકોને શિવરાત્રીનાં મેળામાં નિકળતી રવાડી દરમિયાન બીલ્ડીંગો પર એકત્ર થતાં લોકોને ભેગા થવા દેવા અને અઘટીત બનાવ બને તે માટે સુચના આપવામાં આવી હતી.

બે ટીમની રચના કરાઇ

ફૂડ એન્ડડ્રગ અને હેલ્થ વિભાગની બે ટીમ બનવામાં આવી છે. જે મેળા દરમીયાન રાઉન્ડ ક્લોક રાઉન્ડ મારશે અને સફાઇ સહિતની કામગીરીનુ નીરિક્ષણ કરશે.

ગેસની દુર્ઘટના ટાળવા મિકેનીકલ હાજર રહેશે

શિવારાત્રીનાંમેળામાંઅન્નક્ષેત્ર શરૂ થતા હોય છે.તે દરમીયાન ગેસ સિલીન્ડરને લઇને કોઇ દુર્ઘટનના બને તે માટે મેળા દરમિયાન ગેસ એજન્સી દ્વારા મિકેનીકલ 24 કલાક હાજર રહશે.

No comments: