Saturday, January 31, 2015

મૂંગા પશુઓમાં ખરવાનો રોગચાળો પ્રસર્યાની શંકા.

Jan 26, 2015 00:04

માધવપુરમાં પશુઓના મોત બાદ જીવદયાપ્રેમીઓમાં ચિંતા


પોરબંદર : માધવપુરમાં છેલ્લા કેટલાક સમયથી મુંગા પશુઓ ખરવાના રોગથી મોતને ભેટી રહ્યા હોવાથી જીવદયાપ્રેમીઓમાં ચિંતાની લાગણી વ્યાપી છે.માધવપુરમાં મોટાભાગે રેઢીયાળ ગાયો જોવા મળે છે તેમજ ૧૦૦ જેટલા ખુંટીયાઓ શહેરમાં ઘુમી રહ્યા છે.આવા તમામ રખડતા ઢોર ભુખના માર્યા જે તે વસ્તુ સહીતની સડેલી ખાદ્ય સામગ્રી આરોગતા હોય છે.
હાલમાં આવા રખડતા ઢોરમાં ખરવા નામનો રોગચાળો જોવા મળે છે અને દિવસે દિવસે મુંગા પશુઓમાં આ રોગચાળો વકરી રહ્યો છે.મોટાભાગની ગાયો આ ગંભીર પ્રકારના રોગચાળાનો શિકાર બની હોવાથી છેલ્લા કેટલાક સમયથી આમતેમ ભટકતી ગાયો મોતને શરણે થઈ રહી છે.આવા રોગમાં સપડાયેલા મુંગા માલઢોરને બચાવવા જીવદયા પ્રેમીઓને ભારે જહેમત ઉઠાવવી પડે છે.

થોડા દિવસો પહેલા અહી આવેલ ભાટીયા વંડી પાસે મધુવન જવાના રસ્તે એક વાછરડી સારવાર ન મળવાથી તરફડીયા મારી મોતને ભેટી હતી.તેવી જ રીતે શુક્રવારે સવારે અહી મચ્છી માર્કેટ પાસે પણ એક ગાય તરફડીયા મારી રહી હોવાની જાણ થતા લોકો પશુ દવાખાને અનેક વખત ધક્કા ખાવા છતાં પશુ ડોકટર હાજર ન હોવાથી ગાયને સારવાર નહી મળતા મોતને ભેટતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે.

No comments: