Saturday, January 31, 2015

રોપ-વે શરૂ કરો અને કેસર કેરીના બગીચાને ખેત વિમામાં સમાવો.

DivyaBhaskar News Network | Jan 29, 2015, 05:45AM IST
જૂનાગઢઅને સૌરાષ્ટ્રમાં લોકોના વર્ષો જુના પડતર પ્રશ્નોનો નિવેડો લાવવા ખેડૂત હિતરક્ષક સમિતીએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે.

જેમાં ગિરનાર રોપ-વે શરૂ કરવા, કેસર કેરીના બગીચાને ખેત વિમામાં સમાવવા, સૌરાષ્ટ્રના તમામ ડેમોને નર્મદા કેનાલથી જોડવા માંગ કરાઇ છે. ઉપરાંત સૌરાષ્ટ્ર- જૂનાગઢના તીર્થધામો જેવા કે ધારીથી તુલસીશ્યામ, મેંદરડાથી તાલાલા, તાલાલાથી ઊના અને જામવાળાથી ધારી સુધીના રસ્તાને પહોળા કરવા માંગ કરાઇ છે. કલ્પસર યોજનાઓ અમલ, જૂનાગઢ-ઊના રેલવેને બ્રોડગેજ, શાપુર- સરાડીયા રેલવે, મેંદરડા - જૂનાગઢ બાયપાસ કૃષિ યુનિવર્સિટીમાંથી શરૂ કરવામાં આવે. ગામડાઓને જોડતા રસ્તઅઓ દર ત્રણ વર્ષે નવા બનાવવામાં આવે તે જરૂરી છે. ગામડાઓમાં બીનજરૂરી દબાણો, સરકારી - ગૌચરમાંથી થતી મુરમ ચોરીની જવાબદારી સ્થાનિક તલાટીમંત્રીના શીરે નાંખવા રજૂઆત કરાઇ છે. ઉપરાંત તલાટીમંત્રી ગામડામાં હોય પ્રજાના કામો અટકાયેલા રહે છે. જેથી તલાટીની જગ્યા ભરવા માંગ કરાઇ છે. જંગલ વિસ્તારમાં પશુની રંજાડ હોય જંગલ વિસ્તાર નક્કી થાય તે જરૂરી છે.

ગીર-સોમનાથ જિલ્લા દરિયાકાંઠે કોસ્ટલ રીઝર્વ ઝોન અમલમાં હોય ખારવા સમાજના લોકોને સરદાર આવાસ, ઇન્દિરા આવાસ યોજનાનો લાભ મળતો નથી. ઉપરાંત કોસ્ટલ વિસ્તારમાં ખારાશનું પ્રમાણ વધી રહયું છે તે બાબતે ગંભીરતાથી વિચારવા તેમ કન્વીનર અતુલ શેખડાએ જણાવ્યું છે.

No comments: