Tuesday, February 28, 2017

દુધાળામાં બાળકીને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઇ

DivyaBhaskar News Network | Feb 26, 2017, 02:50 AM IST
ધ્રાબાવડ પાસે વન વિભાગને મળી સફળતા

માળિયાહાટીનાપંથકનાં દુધાળા ગામે રહેતા એક પરિવારની 5 વર્ષની પુત્રીને સિંહણે ઉઠાવી જઇ 500 મીટર દુર લઇ જઇ કોળીયો બનાવી હતી અને ઘટનાથી વન તંત્ર દોડતું થઇ ગયું હતું અને બાબતે ધાબાવડનાં સરપંચે વન સંરક્ષક જૂનાગઢ અને આરએફઓ પરમારને રજૂઆત કરી હતી અને સિંહણે પકડવા માટે વન વિભાગે કાર્યવાહી હાથ ધરતાં ધ્રાબાવડ પાસેથી શનિવારે રાત્રે સિંહણને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી અને અમરાપુર એનિમલ કેર લઇ જવાયા બાદ સાસણ લઇ જવામાં આવી હોવાનું જાણવા મળે છે અને હવે માનવભક્ષી સિંહણ કાયમી ધોરણે કારાવાસમાં રહેશે. સિંહણ પાંજરે પુરાઇ જતાં સમગ્ર પંથકનાં લકોએ રાહતનો શ્વાસ લીધો છેે. છેલ્લા ઘણાં દિવસોથી લોકો સિંહણનાં ભયને લીધે રાત્રિનાં સમયે સીમમાં જવાનું ટાળતા હતા.

No comments: