Tuesday, February 28, 2017

આજે સક્કરબાગ ખુલ્લુ રહેશે

DivyaBhaskar News Network | Feb 22, 2017, 03:55 AM IST
જૂનાગઢપ્રાણી સંગ્રહાલયના નિયામક એસ. જે. પંડિતે જણાવ્યું હતું કે સામાન્ય રીતે દર બુધવારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રહેતું હોય છે, પરંતુ વિશેષ તહેવારો કે રજાના દિવસોમાં બુધવાર આવતો હોય તો પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રાખવામાં આવે છે. જે મુજબ આજે 22 ફેબ્રુઆરીનેબુધવારે પણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખુલ્લું રાખવામાં આવશે. યાત્રાળુઅો તેમજ જાહેર જનતા સવારના 9 થી સાંજના 6 સુધી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઇ શકશે. શિવરાત્રીનાં મેળાને લઇ દેશ-વિદેશમાંથી લઇ શ્રધ્ધાળુંઓ જૂનાગઢ આવે છે.

No comments: