Tuesday, February 28, 2017

સાવજો માટે આરક્ષીત જગ્યામાં પવનચક્કીઓ ખડકાઇ ગઇ ?

DivyaBhaskar News Network | Feb 11, 2017, 05:40 AM IST
સાવજોના ઘરમાં ઔદ્યોગીક પ્રવૃતિ કોની મંજુરીથી... ?

સિંહઅને જંગલી પ્રાણીઓ તથા પ્રકૃતિની રક્ષા માટે ઇકો સેન્સેટીવ ઝોન કાર્યરત કરાયો છે. સાવજોની રક્ષા માટે સરકાર કરોડોનો ખર્ચ કરી રહી છે. અહિંના મેવાસા, વડાળ, ભેંકરા, સેંજળ આસપાસ તો આરક્ષીત વિસ્તાર જાહેર કરાયો છે. 24 સિંહ વસે છે અને 3000 મોરનો નિવાસ છે. ગણેશગઢ, ગાધકડા, વાશીયાળી, છાપરી આસપાસના વિસ્તારોમાં સાવજોની મોટી વસતી છે. દરરોજ મારણો થઇ રહ્યા છે. તંત્રની મીલીભગતથી આડેધડ પવનચક્કીઓ ઉભી કરવામાં આવી રહી છે. મોર ઉપરાંત ચિંકારા, ચિતલ, ઇન્ડીયન પાયથન, પ્રવાસી પક્ષીઓ મોર વિગેરેનો મોટી વસતી છે. પરંતુ હવે વિસ્તારમાં પવનચક્કીઓના કામ ચાલુ થયા છે. જેની સામે સિંહ પ્રેમીઓમાં રોષ છે. પર્યાવરણવિદ મંગળુભાઇ ખુમાણ જણાવી રહ્યા છે કે આરક્ષીત વિસ્તારની 10 કીમીની ત્રીજ્યામાં વન્ય પ્રાણીઓ માટે જોખમી હોય તેવી ઔદ્યોગીક હોય તેવી પ્રવૃતિઓ કરી શકાય.

No comments: