Tuesday, February 28, 2017

ડોળાસા: વીજશોકથી માદાનું મોત થતાં નર પેલીકને વિરહમાં દમ તોડ્યો

Bhaskar News, Dolasa | Feb 26, 2017, 01:06 AM IST

  • ડોળાસા: વીજશોકથી માદાનું મોત થતાં નર પેલીકને વિરહમાં દમ તોડ્યો,  junagadh news in gujarati
(ડોળાસાનાં અડવી ગામે તળાવ પરની ઘટના)
 
ડોળાસા:ડોળાસા પાસેનાં પેલીકન નર-માદાની જોડી શુક્રવારે રાત્રે અડવી ગામનાં તળાવમાં માછલાનાં  શિકાર માટે આવી હતી. દરમિયાન  માદાની એક પાંખ ઉડતી વેળાએ વીજ વાયરને અડકી જતાં તેનું મોત થયું હતું. ત્યારે જ નર પેલીકન પણ થોડે દુર વાડીમાં ઉભો હતો અને માદા પક્ષીનો મૃતદેહ લઇ જવાતા પેલીકન નર વિરહની વેદના વ્યકત થતી જોવા મળી હતી અને બપોરે 2 વાગ્યે તેનું પણ મોત થયું હતું. આરએફઓ આઇ.એમ.પઠાણ, સેવરાભાઇ, ભરતભાઇ, જીતુભાઇ, બાલુભાઇ રાઠોડ, રોહીત ડોડીયા સ્થળ પર દોડી આવ્યાં હતાં અને મૃતદેહનો  કબજો લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

No comments: