Thursday, August 31, 2017

ભિયાળમાં સાવજે ચાર બકરાનું કર્યુ મારણ, ભયનો માહોલ

DivyaBhaskar News Network | Last Modified - Aug 30, 2017, 02:30 AM IST
ભિયાળમાં સાવજે ચાર બકરાનું કર્યુ મારણ, ભયનો માહોલ
જૂનાગઢનજીક ભિયાળ ગામે રહેતા ભરવાડ રમેશભાઇ રાણાભાઇ લંબારીયાનાં વંડામાં સોમવારનાં રાત્રીનાં સાવજે આવી ચઢી ચાર બકરાને મોતને ઘાટ ઉતારી ત્રણ બકરાનું સ્થળ પર મારણ કરી મીજબાની માણી હતી. જયારે સાવજ એક બકરાને ઢસડી જઇને સીમ વિસ્તારમાં લઇ ગયો હતો એમ રમેશભાઇએ જણાવ્યું હતું. સાવજે બકરાના મારણ કરતાં ગામમાં ભયનો માહોલ પ્રસર્યો છે.

No comments: