Friday, March 30, 2018

ખાંભાઃ 6 સિંહોના વિસ્તારમાં લાગી આગ, એક પ્રાણી ભડથું, તપાસ શરૂ

Hirendrasinh Rathod, Khambha | Last Modified - Mar 27, 2018, 01:48 AM IST
આગમાં એક પ્રાણીનો પણ ભોગ લેવાયનું જાણવા મળ્યું, આ પ્રાણી ક્યું છે તે અંગે તંત્રએ તપાસનો મધમાટ શરૂ કર્યો
વિડી હોઈ કે રેવન્યુ વિસ્તાર ઉનાળો આવતા જ આગના બનાવો છાસવારે વધારો થઈ રહ્યો છે
  • મોટા બારમાણના સળવા ધાર તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં આગ લાગવા નો બનાવ સામે આવ્યોરાજકોટઃ વિડી હોઈ કે રેવન્યુ વિસ્તાર ઉનાળો આવતા જ આગના બનાવો છાસવારે વધારો થઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને સિંહો જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં જ વધારે પ્રમાણમાં આગ લાગવા ના બનવા જોવા મળી રહ્યા છે. ત્યારે મોટા બારમાણના સળવા ધાર તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં આગ લાગવા નો બનાવ સામે આવ્યો છે, જેમાં 300 હેક્ટર જેટલા વિસ્તારમાં આગ ફેલાઇ હતી, આગમાં એક પ્રાણીનો પણ ભોગ લેવાયનું જાણવા મળ્યું હતું, જો કે આ પ્રાણી ક્યું છે તે અંગે તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
    મળતી માહિતી પ્રમાણે ખાંભાના રાબારીકા રાઉન્ડ નીચે આવતા મોટા બારમાણ સળવા ધાર વન્ય વિસ્તારમાં આગ લાગવા નો બનાવ સામે આવ્યો છે. આ આગ થોડી જ ક્ષણોમાં 300 હેક્ટરમાં પથરાયેલ રેવન્યુ વિસ્તારને ઝપટે લાઇ લીધી હતી જ્યારે બીજી તરફ આ આગ અને મોટા બારમાણના સરપંચ દેવશીભાઈ વાઢેર દ્વારા તાત્કાલિક ખાંભા મામલતદાર અને તુલસીશ્યામ રેંજ કચેરી ને ખાંભા ખાતે જાણ કરી હતી. મોટા બારમાણના વનમિત્ર અલ્પેશ વાઢેર ગ્રામજનોની મદદથી આ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ ઘટનાની જાણ થતા જ વન વિભાગ સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવા માટે કામે લાગી ગયો હતો.
    આ વિસ્તારમાં 6 સિંહો કરે છે વસવાટ
    સ્થાનિકો અને વન વિભાગનું કહેવું છે કે મોટા બારમાણ સળવા ધારના વન્ય વિસ્તારમાં 6 જેટલા સિંહો વસવાટ કરી રહ્યાં છે, સાથે જ દિપડા તથા તૃણભક્ષી પ્રાણોનું પણ આ વિસ્તારમાં ઘર આવેલું છે, ત્યારે આગને કારણે તમામ પ્રાણીઓ ઘર છોડીને ભાગવા મજબૂર થયા હતી. છાસવારે બનતા આવા બનાવો પાર અંકુશ ક્યારે તે એક મોટો સવાલ ઉભો થયો છે. અવારનવાર સિંહો ના વસવાટ વાળા જ વિસ્તાર માં છાસવારે આગ લાગવા ના બનાવો પણ સવાલો કરી રહ્યા છે અને તાપસ નો વિષય બની ગયો છે જ્યારે કોઈ જાણીજોઈ ને આવી રીતે આગ લગાવી રહ્યા છે કે પછી શું. ??




    •  મોટા બારમાણના સળવા ધાર તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં આગ લાગવા નો બનાવ સામે આવ્યો
      3 સિંહબાળ અને સિંહણ પર તંત્રની નજર

      આ વિસ્તારમાં ત્રણ સિંહબાળ સાથે એક સિંહણ વસી રહી છે. દવની ઘટના બાદ આ સિંહણ અને સિંહબાળ પર તંત્રએ સતત વોચ શરૂ કરી છે. સિંહણ એક સિંહબાળને મોઢામાં લઇને જતી નજરે પડી હતી.
      https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-fire-catch-near-lions-group-residential-forest-area-in-khambha-gujarati-news-5838158-PHO.html?seq=2

No comments: