Saturday, March 31, 2018

ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનામાં ઉપલા દાતાર અને નીચેના સખી

DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:45 AM IST
ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનામાં ઉપલા દાતાર અને નીચેના સખી જમીયલશા દાતારનો પણ સમાવેશ કરવા માંગ ઉઠી છે. આ...
ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનામાં ઉપલા દાતાર અને નીચેના સખી

ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચનામાં ઉપલા દાતાર અને નીચેના સખી જમીયલશા દાતારનો પણ સમાવેશ કરવા માંગ ઉઠી છે. આ અંગે ખલ્કે ઇલાહી ન્યાય પરિષદના અધ્યક્ષ યુસુફ મલેકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે ઉપલા દાતાર અને સખી જમીયલશા દાતારના વહિવટ કર્તા જિલ્લા કલેકટર છે ત્યારે તેમની પણ જવાબદારી બને છે કે આ બન્ને સ્થળોનો ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સમાવેશ કરે. ઉપરાંત જામા મસ્જીદ, મહાબત મકબરા, વાલીએ સોરઠ, દરબારે નકશબંદ દરગાહનો પણ ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરી તેનો વિકાસ કરવામાં આવે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1351844-NOR.html

No comments: