Friday, March 30, 2018

રાજુલાઃ ખેતરમાં છ સિંહો આવ્યા લટાર મારવા, ખેડૂતોમાં ભયનો માહોલ

Jaidev varu, Rajula | Last Modified - Mar 19, 2018, 08:49 PM IST
ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા પાંચ છ દિવસથી સિંહોનું ટોળું આંટાફેરા કરી રહ્યું છે જેના કારણે ખેતરમાં કામ કરવૂં મુશ્કેલ
અમરેલીઃ રાજુલા તાલુકાના નવા આગરિયા ગામની સીમમાં સાવજના ટોળાએ ધામા નાખ્યા છે, અહીં ગામના એક ખેડૂતની વાડીમાં છ જેટલા સિંહો આવી જતાં નાસભાગ મચીજવા પામી હતી. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા પાંચ છ દિવસથી સિંહોનું ટોળું આંટાફેરા કરી રહ્યું છે જેના કારણે ખેતરમાં કામ કરવૂં મુશ્કેલ બન્યું છે, તો આ અંગે વનવિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જો કે તેઓએ કોઇ પગલા લીધા નથી. સોમવાર ખેતરમાં 25 જેટલા મજૂરો કામ કરી રહ્યાં હતા, તે દરમિયા છ જેટલા સિંહ લટાર મારતાં નજરે પડ્યાં હતા, જેને જોઇ તમામ મજૂરો તથા ખેડૂતો ખેતર છોડી ભાગી ગયા હતા, ગામ લોકોની માગ છે કે વહેલી તકે આ સિંહોને જંગલમાં તગેડી મૂકવામાં આવે.
રાજુલા તાલુકા ના નવા આગારીયા વિસ્તાર માં આવેલ ગૌતમભાઈ ખુમાણ ની વાડી માં કપાસ વીણવા માટે 25 થી વધુ મજૂરો કામ કરે છે જે સિંહો આવી સડતા ભય નો માહોલ ઉભો થયો છે સિંહો હુમલો કરે તેવી આ વિસ્તાર માં દહેશત ના કારણે લોકો માં રોષ ફાટી નીકળ્યો છે, ખેડૂતોએ રાજુલા વનવિભાગ ને જાણ કરી તેમ છતાં અહીં કોઈ અધિકારી કર્મચારીઓ દ્વારા નકર પગલાં નહીં ભરતા રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતો ની માંગ છે સિંહો ને તાત્કાલિક વાડી થી દૂર ખસેડવા માં આવે તેવી ગામ લોકો એ માંગ કરી છે તેમ છતાં કર્મચારી ઓ કામચોર બન્યા હોય તે પ્રકાર નું વર્તન અહીં કરી રહ્યા છે બીજી તરફ એક સાથે 6 સિંહો નું ટોળું સાથે સાથે સિંહ બાળ પણ અહીં વાડી વિસ્તાર માં વસવા હોવાનું જાણવા મળી રહ્યું છે વનવિભાગ તાત્કાલિક સિંહો ને દૂર નહીં ખસેડે તો વનવિભાગ ની કચેરી સામે ધરણા શરૂ કરવા ની માંગ કરવા માં આવી છે,
અહીં સિંહો દરોજ પાણીની કુંડીમાં પાણી પીવા આવે છે અને અડિંગો જમાવે છે તેમ છતાં અહીં ના સ્થાનિક કર્મચારીઓ ધ્યાન નહીં દેતા હોવાને કારણે લોકો માં વધુ રોષ જોવા મળી રહ્યો છે ગામ ના ખેડૂતો સહીત આસપાસ વાડી વિસ્તારના લોકો હિજરત કરે તે પ્રકારની દહેશત ઉભી થઈ છે વનવિભાગ ગંભીરતા પૂર્વ કામ નહિ લે તો આવનારા દિવસો માં વનવિભાગ ની મુશ્કેલી વધે તે પ્રકાર નું આયોજન જોવા મળી રહ્યું છે બીજી તરફ જિલ્લા ના ડીએફઓ સહીત અધિકારીઓ દ્વારા અહીં તપાસ કરી સિંહો ને દૂર ખસેડવા લોકો એ માંગ કરી છે સિંહો નો વસવાટ દિવસે દિવસે આ વિસ્તાર માં વધી રહ્યો છે સાથે સાથે ખેડૂતો ની મુશ્કેલી માં પણ વધારો જોવા મળી રહ્યો છે હાલમાં ખુડૂતો ની સીઝન ચાલુ હોય તેવા સમયે કપાસ સહીત ની ખેતીવાડી માં કામ ચાલુ હોય ખેડૂતો જોતરાયેલા હોય તેવા સમયે સિંહો ના આતંક થી સમગ્ર ખેડૂતો આંદોનલ ધરણા સહીત ના કાર્યક્રમો કરવા નું આયોજન થઈ રહ્યું છે

મજૂરો પર હુમલો થશે તો જવાબદાર કોણ : ખેડૂત
વાડી માં કામ કરવું કે અમારે સિંહો નું ધ્યાન રાખવું વનવિભાગ ને દરોજ જાણ કર્યે તમ છતાં આવતા નથી મજૂરો ઉપર હુમલો થશે તો જવાબદારી કોની દરોજ પશુ ના મારણ કરે છે 24 કલાક અમારી વાડી માં સિંહો રહે છે : નટુભાઈ ખુમાણ ખેડૂત નવા આગરીયા
ખેડૂતો વનવિભાગ ની કચેરી સામે ધરણા કરીશું : ખેડૂત

2 દિવસ માં સિંહો વાડી વિસ્તાર થી દૂર નહીં કરે તો વનવિભાગ ની કચેરી આવેદનપત્ર આપી ધરણા આંદોનલ કરીશું વનવિભાગ ના અધિકારી કર્મચારી કેમ જવાબદારી નથી લેતા વાડી માંથી તાત્કાલિક સિંહો ને દૂર કરવા જોઈએ અહીં ગમે ત્યારે સિંહો ખેડૂતો ઉપર હુમલો કરે તેમ છે : અનિરુદ્ધભાઈ ખુમાણ જાગૃત ખેડૂત નવા આગરીયા
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-lion-group-come-out-in-farm-farmer-cread-in-amreli-gujarati-news-5833522-PHO.html

No comments: