Saturday, March 31, 2018

વન વિભાગે જંગલ પ્રવેશ ન અાપતા ગિરનાર પરિક્રમાર્થીઓના ઇંટવા ચેક પોસ્ટે જ ધરણાં

DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:45 AM IST
જૂનાગઢ ફરતેની પરિક્રમા કરવા માટે નિકળેલા પરિક્રમાર્થીઓને વન વિભાગે ઇંટવા ગેઇટ પાસે જ અટકાવ્યા હતા. પરિણામે તેઓએ...
વન વિભાગે જંગલ પ્રવેશ ન અાપતા ગિરનાર પરિક્રમાર્થીઓના ઇંટવા ચેક પોસ્ટે જ ધરણાં
વન વિભાગે જંગલ પ્રવેશ ન અાપતા ગિરનાર પરિક્રમાર્થીઓના ઇંટવા ચેક પોસ્ટે જ ધરણાં
જૂનાગઢ ફરતેની પરિક્રમા કરવા માટે નિકળેલા પરિક્રમાર્થીઓને વન વિભાગે ઇંટવા ગેઇટ પાસે જ અટકાવ્યા હતા. પરિણામે તેઓએ ગેઇટ પાસે જ ધરણાં શરૂ કરી દીધા હતા. અખંડ ભારત સંઘના નેજા હેઠળ ગિરનાર ફરતેની 13 પરિક્રમા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પ્રથમ પરિક્રમા પૂર્ણ થયા બાદ બીજી વખત પરિક્રમા માટે વન વિભાગે મંજૂરી આપી ન હતી. તેમ છતાં ભાવેશભાઇ વેકરીયાની આગેવાનીમાં વ્હેલી સવારે પૂજન કરી પરીક્રમાર્થીઓ આગળ વધ્યા હતા પરંતુ એસીએફ બી.કે. ખટાણા અને સ્ટાફે વનમાં પ્રવેશ કરવા જ દિધો ન હતો અને ગેઇટ પાસેજ 45 થી વધુ કર્મીઓનો કાફલો ગોઠવી દીધો હતો. બાદમાં પરિક્રમાર્થીઓ ગેઇટ પાસે જ સાંજના 6 વાગ્યા સુધી ધરણાં કર્યા હતા. ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યું હતું કે હજુ એકાદ વખત નમ્ર પ્રયાસ થશે છતાં મંજુરી નહી મળે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આવેદન આપવામાં આવશે.

પરિક્રમાર્થીઓ ગેઇટ પાસે જ સાંજના 6 વાગ્યા સુધી ધરણાં કર્યા હતા.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-034503-1351870-NOR.html

No comments: