Saturday, March 31, 2018

ભુંડે તીક્ષ્ણ નહોર મારી ખેડુતનાં બંને પગ કર્યા લોહીલુહાણ


DivyaBhaskar News Network | Last Modified - Mar 26, 2018, 02:10 AM IST
તાલાલા | તાલાલાનાં મંડોરણામાં રહેતા ખેડુત જીવરાજભાઇ સોજીત્રા રવિવારે સવારે બીલીવારા પાટ વિસ્તારમાં આવેલા...
તાલાલા | તાલાલાનાં મંડોરણામાં રહેતા ખેડુત જીવરાજભાઇ સોજીત્રા રવિવારે સવારે બીલીવારા પાટ વિસ્તારમાં આવેલા બગીચામાં પાણી વાળતાં હતાં ત્યારે જંગલી ભુંડે ધસી આવી તેમની પર હુમલો કરી દઇ બંને પગોમાં તીક્ષ્ણ નહોર મારી લોહીલુહાણ કરી દીધા હતાં. ખેડુતે બુમાબુમ કરી મુકતાં આસપાસનાં લોકોએ દોડી આવી પથ્થરોનાં ઘા કરતાં ભુંડ નાસી ગયું હતું. ઇજાગ્રસ્ત ખેડુતને પ્રથમ તાલાલા હોસ્પિટલે સારવારમાં ખસેડાતાં જયાં ડાબા પગમાં પાંચ અને જમણા પગમાં ત્રણ ટાંકા આવ્યા હતાં. વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડેલ છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-latest-junagadh-news-021002-1333557-NOR.html

No comments: