Sunday, May 2, 2010

જાણકાર સ્વયંમસેવકો, વન અધિકારીઓની પણ ઉપેક્ષા.


Apr 29,2010
જૂનાગઢ,તા.૨૯
સિંહોની વસતી ગણતરીમાં સગાવાદ ચલાવાયો હોવાની અને ડેટા બેન્ક ઉભી કરવા ફોટોગ્રાફીની પણ અવગણના કરવામાં આવી હોવાની વિગતો બહાર આવ્યા બાદ જાણકાર સ્વયં સેવકો અને વન વિભાગનાં અધિકારીઓની પણ ઉપેક્ષા કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. તેમ જ કીટ આપવામાં પણ ભેદભાવભરી નીતિ અપનાવાઈ હોવાની ફરિયાદો ઉઠી હતી.
વનવિભાગના અનુભવી જાણકાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા.૧૯ ના રોજ ગણતરી પૂર્વે એક ફાઈનલ મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં સ્વયંસેવકો માટે આવેલી કુલ ૮૦૦ અરજીઓમાંથી ૧પ૦ની પસંદગી કરીને બોલાવવામાં આવ્યા હતાં. આ મિટિંગમાં જંગલના ખરા અર્થમાં જાણકાર એવા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. મિટિંગમાં ભાગ લેનારને ગણતરીમાં સમાવવા માટે સ્પષ્ટ સુચનાઓ પણ આપવામાં આવી હતી. પરંતુ જ્યારે ગણતરીના આગલા દિવસે બધા હાજર થયા ત્યારે મિટિંગમાં હાજર રહેનારાઓને બાદ કરી તેની જગ્યાએ એક પણ પ્રક્રિયામાં ભાગ ન લેનારાઓને સમાવી લેવામાં આવ્યા હતાં. તેમા પણ જાણકાર અને અનુભવી લોકોને તો જંગલની બોર્ડર પર મૂકીને હિન્દીભાષી તથા બહારગામના હોય તેવા લોકોને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું.
ગણતરીકારો માટે વ્યવસ્થાનો સદંતર અભાવ હોવાની સાથે સુત્રોએ ઉમેર્યું છે કે, રૃમાલ, નેપકિન, ટોર્ચ, ચટ્ટાઈ વગેરેની કિટ આપવામાં ભેદભાવભરી નીતિ અપનાવાઈ હતી. સરકારે આ ગણતરી માટે રૃ.પપ લાખની ફાળવણી કરી હતી. સાથે સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મોટા પ્રમાણમાં દાન આપવામાં આવ્યું હતું. જેમાંથી મોટા ભાગની રકમ ઉચ્ચ અધિકારીઓના સગાવહાલાઓના સિંહ દર્શનના કાર્યક્રમ પાછળ જ વપારાઈ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. ત્યારે આ દિશામાં સરકાર દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો મોટો આર્િથક ગોટાળો બહાર આવવાની શક્યતા પણ સુત્રોએ વ્યક્ત કરી છે.
જ્યારે સ્ટેટ વાઈલ્ડ લાઈફ એડવાઈઝરી બોર્ડના પૂર્વ મેમ્બર અને જિલ્લાના પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન નરેદ્ર ભરાડે પણ સિંહોની વસતી ગણતરી સામે પ્રશ્નાર્થ ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે, જંગલને આત્મસાત કરીને વિનામુલ્યે ઉચ્ચકક્ષાની સેવાઓ આપનાર વર્તમાન અને પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડનો તેમજ સિનિયર પર્યાવરણ પ્રેમીઓને ઈરાદાપૂર્વક ભુલી જવાયા હોય તેવી સ્થિતિ આ વખતે જોવા મળી છે. આ તો ઠીક ગિર જંગલમાં ભૂતકાળમાં ફરજ બજાવી ગયેલા અને ગિર જંગલના ખુણે ખુણાથી પરિચિત હોય તેમજ સિંહોની તમામ વર્તુંણકોથી માહિતગાર હોય તેવા હાલમાં અન્ય સ્થળે ફરજ બજાવતા અધિકારીઓની પણ ઉપેક્ષા કરવામાં આવી હતી.
સ્વયંસેવકોમાં બહારના વિસ્તારોના યુવાનોની સુચક રીતે વધુ સંખ્યા
જૂનાગઢ, તા.ર૯
આ વખતની સિંહોની વસતી ગણતરી વિશે નરેન્દ્રભાઈ ભરાડે જણાવ્યું છે કે, સ્વયંસેવકોમાં શંકાસ્પદ યુવાનોની વધારે ભરતી કરવામાં આવી હતી. જેઓ જંગલ કે, વન્યપ્રાણીઓ વિશે કંઈ જ જાણતા નથી તેવા યુવાનો વધારે હતાં. જેને બદલે અનુભવી અને પીઢ લોકો હોવા જોઈએ. સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત અને વડોદરા વિસ્તારનાં સ્વયંસેવકોનું પ્રમાણ વધારે હતું. માટે ચોક્કસાઈ પૂર્વકની ગણતરી સામે શંકા ઉભી થાય છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=182577

No comments: