Monday, May 3, 2010

તાલાલા પંથકના ૪૯ ગામો ગીર નેસડામાં વસતી ગણતરીનો પ્રારંભ.


Apr 25,2010
તાલાલા (ગીર),તા.રપ
તાલાલા પંથકમાં વસતી ગણતરી ૨૦૧૦નો તાલાલા તાલુકાના છેવાડાના ગીરના જંગલની બોર્ડર ઉપર આવેલ ભોજદે ગીર ગામે તાલાલા ઘરની મુલાકાત લઈ ગણતરીકારોએ પ્રથમ તબક્કાની વસતી ગણતરીનો શુભારંભ કર્યો હતો.
તાલાલા પંથકના ૪૯ ગામોના ૨૧૮ બ્લોક તથા ગીરના જંગલમાં આવેલ નેસડામાં વસવાટ કરતી માનવ વસતીના પ૧ બ્લોક સાથે કુલ ૨૬૯ બ્લોકમાં આખા ગીર પંથકને વહેંચી તાલાલા તાલુકાના તમામ પરિવારની ગણતરી તથા જરુરી વિગતો સાથે વસતી ગણતરી પ્રક્રીયાની કામગીરી કરવા ૨૬૯ તથા ૧૯ જંગલખાતાના સ્ટાફ સાથે કુલ ર૮૮ ગણતરીકારોનો કાફલો ગીર પંથકમાં પરીભ્રમણ કરી રહયો છે. તા. ર૧ એપ્રિલ થી તા. ૪ જુન સુધી ગીર પંથકમાં ચાલનારી આ મહત્વની રાષ્ટ્રિય કામગીરી ઉપર તાલાલા મામલતદાર અમીબેન દોશી ચાર્જ ઓફીસર તરીકે સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખી રહયા છે.
તાલાલા પંથકમાં પ્રથમ તબક્કાની ચાલી રહેલ વસતી ગણતરી રાષ્ટ્રિય કામગીરીને સંપૂર્ણ  સફળતા અપાવવા સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા થઈ રહેલ પરિણામલક્ષી કામગીરીમાં ગીરપંથકના તમામ પ્રજાજનો સહભાગી થવા વસતી ગણતરી ચાર્જ ઓફિસર અને તાલાલા મામલતદારએ અનુરોધ કર્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181334

No comments: