Monday, May 3, 2010

ગુજરાતમાં સિંહોની સંખ્યામાં વધારો.


May 03,2010
ગાંધીનગર, તા. ૨
ભારતમાં એક તરફ કરોડો રૃપિયાના ખર્ચ પછી યોગ્ય સંરક્ષણ અને સંવર્ધનના અભાવે વાઘ નામશેષ થઇ રહ્યા છે બીજી તરફ વિશ્વભરના લોકો જેને પ્રેમ કરે છે તેવા ગુજરાતના બૃહદ ગીર વિસ્તારમાં એશિયાઇ સિંહની સંખ્યામાં પ્રોત્સાહક વધારો થયો છે. ગત સપ્તાહે સંપન્ન થયેલી એશિયાઇ સિંહના વસતિ અંદાજોના આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પરિણામો જાહેર કરતાં કહ્યું કે, ગીરના નૈર્સિગક વાતાાવરણમાં સિંહ સૌથી વધારે સલામત અને સુરક્ષિત બનતા તેની સંખ્યા વધીને ૪૧૧ સુધી પહોંચી છે. સિંહની વસતિના નવા અંદાજો એ ર્સ્વિણમ જ્યંતી ઉજવતા ગુજરાતની વિશ્વના વન્ય પ્રાણી પ્રેમીઓને ભેટ સમાન છે, તેમ મોદીએ જાહેર કર્યું હતું.
૨૦૦૫માં યોજાયેલી છેલ્લી સિંહ વસતિ અંદાજ ગણતરી વેળાએ ૩૫૯ જેટલા સિંહ હતા એમ કહીને મોદીએ કહ્યું કે, આ વસતિના અંદાજોમાં એક વર્ષથી નાની ઉંમરના બચ્ચાં ૭૭ છે. જ્યારે ૧ થી ૩ વર્ષની વચ્ચે બાળસિંહની સંખ્યા ૭૫ છે અને પુખ્ત ઉંમરમાં જોઇએ તો ૯૭ નર અને ૧૬૨ નારીનો અંદાજ મુકાયો છે. વન્ય પ્રાણીઓમાં આ સ્થિતિને મોદીએ સામાજિક સંદેશ આપવામાં ઉપયોગ કરતાં કહ્યું કે, દેશમાં માનવસમાજમાં પુરુષોની સંખ્યા સામે સ્ત્રીની સંખ્યા ઘટી રહી છે તેવા સમયે વનરાજ એવા એશિયાઇ સિંહના સમાજમાં સિંહણનું રાજ પ્રવર્તી રહ્યું છે. તે બાબત સારી છે. સમાજે આમાંથી કંઇક શીખવું જોઇએ. આ સાથે તેમણે એવું અવલકોન કર્યું કે, ભારત જેમ યુવાનોનોે દેશ છે એટલે કે ૪૦ ટકાથી વધારે વસતિ યુવા છે એવી જ રીતે સિંહના આ નવા વસતિ અંદાજોમાં પણ ૪૦ ટકા યુવા પેઢી છે. આમ, ગીર અભયારણ્ય અને આસપાસના તેના વસવાટ વિસ્તારોમાં બાળસિંહ અને માદાની ટકાવારી ઉત્સાહજનક રીતે વધી રહી છે. ૨૦૦૭માં બનેલી એક કમનસીબ ઘટનાને બાદ કરતાં સરકારે એશિયાઇ સિંહના સંરક્ષણ તથા સલામતી માટે રૃ.૪૦ કરોડના અમલી બનાવેલા પેકેજ, ૪૦૦ જેટલા યુવાનોને આધુનિક તાલીમ તથા અદ્યતન ટેક્નોલોજીવાળાં સાધનોથી સજ્જ કરીને સંરક્ષણની કામગીરી સોંપવામાં આવી હતી. તેના આજે પ્રોત્સાહક પરિણામો મળી રહ્યાં છે. જનભાગીદારીથી અનેક કૂૂવાને કવર કરી શક્યા છીએ તેના લીધે અગાઉના વર્ષોમાં સરેરાશ દસ બચ્ચાં દર વર્ષે મોતને ભટતા હતા, તે હવે ઘટીને ગત વર્ષે માત્ર એક જ બચ્ચાનું આ રીતે મોત થયું છે. આવી રીતે અનેક પગલાં જનભાગીદારીથી લેવાયાં છે તેમાં સ્થાનિક માલધારીઓ, ગ્રામજનો સામેલ થાય છે. મોદીએ કહ્યું કે, આ વખતની સિંહ વસતિ અંદાજ-ગણતરીના કામમાં બે હજાર જેટલું માનવબળ ઉપરાંત અદ્યતન ટેક્નોલોજી, વૈજ્ઞાાનિક અભિગમનો પ્રથમ વખત વ્યાપક રીતે ઉપયોગ કરાયો હતો. તેના લીધે સિંહના જીવનમાં ખલેલ ઊભી કર્યા સિવાય તેને સ્પોટ કરી શકાય.
અગ્રસચિવ વન અને પર્યાવરણ ડો.એસ.કે. નંદાએ પત્રકારોને માહિતી આપી કે ૨૦૦૭ના સિંહ સંવર્ધન માટેના એક્શન પ્લાન બાદ ઘણા સારા પ્રોત્સાહક પરિણામો મળ્યાં છે. જ્યારે અગ્રવનસંરક્ષક આર.વી.અસારીએ માહિતી આપતાં કહ્યું કે, ૧૯૯૫ સુધી સિંહની વસતિ ગણતરી ભક્ષણ અને પીવાના પાણીની જગાએ આવનજાવનના આધારે થતી હતી. પરંતુ ત્યાર પછી ૨૦૦૧ અને ૨૦૦૫ની ગણતરી બીટ આધારિત થઇ છે. તેમાં આ વખતે ૨૦૧૦માં આપણે નવી બાબતોને ઉમેરીને વૈજ્ઞાાનિક અભિગમ આપ્યો છે. મોદીએ આ મુદ્દે એવુ કહ્યું કે, ૨૦૧૦ની વસતિ અંદાજોની પદ્ધતિ તથા પ્રક્રિયા એક પ્રકારનો સંશોધન-અભ્યાસનો વિષય બની શકે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=183431

No comments: