Bhaskar News, Junagadh

આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના અકાળા (ગીર) ગામની સીમમાં આવેલી ભીખા નાથા ઝાલાની વાડીએ આવેલા અવાવરૂ કુવો બુરવાની કામગીરી ચાલી રહી હતી. અવાવરૂ કુવામાં ચાર-પાંચ ફુટની બખોલમાં દીપડો છુપાયો હતો. પરંતુ ખેડૂતે અજાણતામાં કુવામાં માટીના ઢગ ખડકી દીધા હતા.
કુવામાં માટીના ઢગ ખડકાઈ જવાથી જે બખોલમાં દીપડો છુપાયો હતો એ બંધ થઈ ગઈ હતી. બાદમાં દીપડાએ જીવ બચાવવા માટે મહેનત કરતા ધુળ સરકવા લાગી હતી. આથી ખેડૂત તથા મજૂરોને બખોલમાં દીપડો છુપાયો હોવાની શંકા ગઈ હતી.
આથી વન વિભાગને જાણ કરવામાં આવતા માળીયાહાટીના આરએફઓ વંશ તથા જૂનાગઢ એસીએફ વી.એમ. રાદડીયાએ ઘટના સ્થળે જઈ માટીના ઢગને હટાવી દીપડાનાં મૃતદેહને બહાર કાઢી સાસણ પીએમમાં મોકલ્યો હતો. જ્યાંથી દીપડાનું ગુંગણામણથી મોત નિપજયાનો રિપોર્ટ આવ્યો હતો. દીપડાનું મોત નિપજતાં પ્રકતિ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/05/02/lepard-also-died-930597.html
No comments:
Post a Comment