Saturday, May 22, 2010

ગિરનારના જોગણીયા ડૂંગરમાં આગ, સાત એકરનું જંગલ ખાક્.

May 19,2010
જૂનાગઢ, તા.૧૯
જૂનાગઢની ગિરનાર પર્વતમાળામાં આવેલ જોગણીયા ડૂંગરમાં આજે બપોરના અરસામાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ગ્રાઉન્ડ ફાયરને કારણે આશરે સાતેક એકર જેટલી જમીનમાં આવેલ જંગલ વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. આગમાં કોઈ વન્ય પ્રાણીને ઈજા થયાના અહેવાલો નથી. ગિરનાર પર્વતમાળામાં આવેલ જોગણીયા ડૂંગર પર સમુદ્ર સપાટીથી આશરે એકાદ હજાર મિટરની ઉંચાઈએ આજે બપોરના બે વાગ્યાના અરસામાં અચાનક જ ભીષણ આગ ફાટી નિકળી હતી. જેની જાણ થતા જ ડી.સી.એફ. વસાવા અને એ.સી.એફ. પી.એસ.બાબરીયા તથા આર.એફ.ઓ. દિપક પંડયાની આગેવાની હેઠળ વનવિભાગનાં પ૦ કર્મીનો કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો. સાંજે સવા પાંચ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આ આગમાં આશરે સાતેક હેક્ટર જેટલો વિસ્તાર બળીને ખાખ થઈ ગયો છે. ગિરનાર જંગલનો આ વિસ્તાર સુકા ઘાંસ અને વાંસનો છે. અત્યારે પાનખરની સિઝન હોવાથી સાગના જમીન પર પડેલા સુકા પાંદડાથી આગ વધારે પ્રસરવા માંડી હતી. ઉનાળાનો સમય હોવાથી જંગલમાં લાકડા એકબીજા સાથે ઘસાવાથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આગને કારણે વન્યપ્રાણીઓને કોઈ પણ પ્રકારની નૂકશાની થઈ હોવાના અહેવાલ મળતા નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=188154

No comments: