Saturday, May 22, 2010

“સિંહ”

સિંહ વિષે બધી લોકોક્તિઓ સાચી હોતી નથી.મેં નેશનલ જીયોગ્રાફી અને ડીસ્કવરી ચેનલ્સ પર સિંહો ના ફેમીલી લાઈફ અને જીવન વિષે ઘણું જોયું છે.ગીર માં એક લોકવાયકા છે કે ગોવિંદો નામનો સિંહ એની જોડીદાર સિંહણ મરી જતા માથા પછાડી ને મરી ગયેલો.લોકકવીઓ સિંહો ને પણ છોડતા નથી. 
* સિંહ સિંહણ ની પાછળ માથા પછાડી ને મરી જાય તેવો પ્રેમી હોતો નથી.તદ્દન ખોટી વાત છે.સિંહ મરેલો શિકાર ખાતો નથી કે બીજાનો કરેલો શિકાર ખાતો નથી તે વાત પણ ખોટી છે.ખાસ તો સિંહ ના ટોળાં માં જે સિંહણો હોય છે તેજ શિકાર કરે છે.પછી સિંહ ત્યાં આવી ને બધી સિંહણો ને ભગાડી મુકે છે.પછી લહેર થી પેટ ભરીને વધેલું સિંહણો માટે છોડી દે છે.સિંહ ભાગ્યેજ શિકાર માં જોડાય છે.ભાઈ તૈયાર રોટી ખાવાવાળા છે.ટોળાં સિવાય એકલા રહેતા સિંહો ને ચોક્કસ શિકાર કરવો પડે.ટોળામાંના નર બચ્ચા મોટા થતા તગડી મુકવામાં આવે છે.ટોળાં નો માલિક  સિંહ ઘરડો થતા બીજો કોઈ જુવાન  સિંહ એની સાથે લડી એને તગડી મૂકી ને ટોળાં નો માલિક બની જાય છે.અને પહેલું કામ ટોળામાં રહેલા નાના બચ્ચાઓ ને મારી નાખવાનું કરે છે.એ બચ્ચાઓને બચાવવા એમની માં સિંહણ જીવ ના જોખમે સિંહ નો સામનો કરે છે,પણ બળવાન અને પુષ્કળ શારીરિક બળ ધરાવતા સિંહ સામે હારી જાય છે,અને નજર સામે પોતાના બચ્ચાને મારતા જોઈ રહે છે.છે ને હૃદય દ્રાવક?કુદરત  ના રાજ્ય માં NO અહિંસા. પછી એજ સિંહણ ગરમી માં આવીને પેલા સિંહ જોડે સંસર્ગ કરીને બચ્ચા જણે છે.પોતાના છોકરાવ ને મારનાર ના જોડે પ્રેમ?Any morality?There is no morality in ‘The world of Nature.
           
                   *  કેટ એટલે બિલાડી ના કુલ માંના ચાર સૌથી મોટા પ્રાણીઓમાં આ સિંહ ભાયડો આવે છે.પંથેરા લીઓ એનું વૈજ્ઞાનિક નામ છે.ઘણા સિંહ ૨૫૦ કિલો સુધીના વજન માં હોય છે.૧૦,૦૦૦ વર્ષ પહેલા સિંહ આખી  દુનિયા માં ફેલાયેલા હતા ને માનવ જાત પછી એમની વસ્તી બીજા પ્રાણીઓમાં સૌથી વધારે હતી.સિંહ સામાજિક પ્રાણી છે.જંગલ માં સતત લડતા હોવાનું હોવાથી સરેરાશ આયુષ્ય ૧૪ વર્ષ નું હોય છે,જયારે પાળેલા સિંહ મતલબ પ્રાણી બાગ માં ૨૦ વધારે વર્ષ  જીવી શકે છે.હવે ખાલી આફ્રિકા ના ઘાસિયા મેદાનો અને ગીર માં જ બચ્યા છે.છેલ્લા બે દાયકામાં લગભગ ૫૦% વસ્તી ઓછી થઇ ગઈ છે.સંસ્કૃત માં સિંહ પુંડરીકમ કહેવાય છે. સિંહ નું જૂનામાં જુનું ફોસિલ ૩૫ લાખ વર્ષ પહેલાનું મળેલું છે.ટાયગર,જેગુઆર ને લેપર્ડ એ સિંહ ના પિત્રાઈ કહેવાય.કોમન પૂર્વજ માંથી ૧૯ લાખ વર્ષ પહેલા જેગુઆર ને સિંહ છુટા પડેલા જયારે લેપર્ડ દસ લાખ ને આશરે ૨૫૦૦૦ વર્ષ પહેલા છુટા પડેલા.
 
 ૧)P.l.persica,  એશિયાટિક લાયન  એક સમયે ઈરાન,પાકિસ્તાન,ટર્કી,બાંગ્લાદેશ બધે  ફેલાયેલા હતા.હવે ગીર માં ફક્ત ૩૦૦ થી ૪૦૦ ની વચ્ચે  બચ્યા  છે.  
૨)P.l.leo,બાર્બેરી લાયન  ઈજીપ્ત ને મોરોક્કો માં હતા.બહુ વિશાલ દેહયષ્ટિ ધરાવતા હતા.૧૯૨૨ માં આ શાખાનો છેલ્લો સિંહ મોરોક્કો માં મરાયો હતો.
 ૩)P.l,senegalensis,વેસ્ટ આફ્રિકન લાયન સેનેગલ અને નાઈજીરિયા માં મળે છે.
૪)P.l,azandica નોર્થ ઈસ્ટ કોન્ગો લાયન  કોન્ગો માં મળે છે.
૫)P.l.nubica, મસાઈ લાયન  ઈથિયોપિયા,કેન્યા,તાન્ઝાનિયા,મોઝામ્બિક માં મળે છે.
૬)P.l. bleyenberghi, કતંગા લાયન  નામિબિયા,બોત્સવાના,અંગોલા,કતંગા,ઝામ્બીયા,ઝીમ્બાબ્વે માં મળે છે.
૭)P.l. krugeri, ટ્રાન્સવાલ લાયન  ટ્રાન્સવાલ અને કૃગર નેશનલ પાર્ક માં જોવા મળે છે.
૮)P.l.,nubica Tsavo સાવો લાયન કેન્યા ને સાવો નેશનલ પાર્ક માં છે.
             એક સમયે કેનેડા યુકોન વેલી થી છેક પેરુ ને શ્રીલંકા માં પણ સિંહ હતા.નર સિંહ ને માદા વાઘ એટલે વાઘણ સાથે ક્રોસ કરીને લાયઘર નામનું પ્રાણી પેદા કરેલું છે.જે ખુબ વિશાલ લગભગ ૧૦૦૦ પાઉન્ડ સુધી નું વજન ધરાવે છે.એવી રીતે સિહણ ને વાઘ વચ્ચે ક્રોસ કરીને ટાઈગોન પણ પેદા કરેલ છે.કશું કામ ના હોય તો સિંહ ૨૦ કલાક આરામ કરે છે.ભૂખ લાગે તો જ ઉભા થવાનું.સિંહ ને લગભગ  ૭ કિલો ને સિંહણ ને આશરે ૫ કિલો માંસ રોજ ખાવા જોઈએ.
Source: http://brsinh.wordpress.com/2010/04/30/%E0%AA%B8%E0%AA%BF%E0%AA%82%E0%AA%B9/

No comments: