Thursday, July 14, 2011

કોડીનારમાં વાહન અડફેટે શિયાળ અને અજગરનાં મોત.


Source: Bhaskar News, Kodinar   |   Last Updated 12:00 AM [IST](13/07/2011)
કોડીનાર પંથકમાં વાહન અડફેટે શિયાળ અને અજગરનાં મોત નિપજ્યા હતા. મુળ દ્વારકા રોડ અને કોડીનાર હાઇવે પર આ અકસ્માતનાં બનાવ બન્યા હતા.
આ બનાવોની મળતી વિગત મુજબ કોડીનારનાં મુળ દ્વારકા રોડ પર કોઇ અજાણ્યા વાહનની અડફેટે નર શિયાળ મોતને ભેટયું હતુ. જ્યારે બીજા બનાવમાં ઊના-કોડીનાર હાઇવે પર માલગામ પાસે અજાણ્યા વાહને અજગરને ચગદી નાંખ્યો હતો. એક દિવસમાં આ બંને બનાવો બન્યા હતા. પ્રકૃતિ નેચર ક્લબનાં પ્રમુખ દિનેશગીરી ડી. ગૌસ્વામી અને જીજ્ઞેશ ગોહિલનાં ધ્યાને આ વાત આવતા જામવાળા વનવિભાગને જાણ કરી હતી.
જામવાળાનાં ઇન્ચાર્જ આરએફઓ એલ.ડી.પરમારનાં માર્ગદર્શન હેઠળ છારા બીટનાં ફોરેસ્ટર એમ.એ.પરમાર સહિતનાં સ્ટાફે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી પંચ રોજકામ કરી શિયાળ અને અજગરની દફનવિધી કરી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-jackal-and-python-dies-in-accident-near-kodinar-2257229.html

No comments: