Thursday, July 14, 2011

ખાંભાનાં સરાકડીયામાં સાવજ પરિવારે સાત બકરાનું મારણ કર્યું.

Source: Bhaskar News, Khambha   |   Last Updated 2:14 AM [IST](11/07/2011)
ખાંભા તાલુકાનાં સાવજો કાળો કેર વર્તાવી રહ્યો છે. ગીર કાંઠાના આ તાલુકામાં સાવજો દ્વારા દરરોજ કોઇને કોઇ પશુનું મારણ કરવામાં આવે છે. આજે સિંહ પરિવાર દ્વારા દિવાનનાં સરાકડીયા ગામે સાત બકરાનું મારણ કરવામાં આવ્યુ હતુ.
પેટની ભૂખ ઠારવા સાવજો માલધારીને ઉપયોગી પશુઓનાં રામ રમાડી દેતા પણ અચકાતા નથી. અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાનાં રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની સંખ્યા ઘણી વધારે છે આ સાવજો ગમે ત્યારે માલધારીની ઝોકમાં કે સીમમાં ચરતા છ ધણ પર તૂટી પડે છે.
આજે ખાંભા તાલુકાનાં દિવાનનાં સરકડીયા ગામે એક સિંહ યુગલ અને તેના બે બચ્ચાએ બકરાનાં ધણ પર ત્રાટકી સાત બકરાને શિકાર બનાવ્યા હતા. સરાકડીયાનાં રહીમભાઇ દલ સીમમાં સવારે બકરા ચરાવી રહ્યા હતા ત્યારે ચાર સાવજોનું આ ટોળુ ધસી આવ્યુ હતુ અને જોત જોતામાં સાત બકરાને મારી નાંખી ખાઇ ગયા હતા. આ ઘટનાથી માલધારીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

No comments: