Thursday, July 30, 2015

અમરેલીમાં જિલ્લાકક્ષાનો વન મહોત્સવ.

  • DivyaBhaskar News Network
  • Jul 28, 2015, 06:35 AM IST
અમરેલીમાંસામાજીક વનિકરણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાનો 66મા વનમહોત્સવની ઉજવણી કરવામા આવશે. અહીના વિદ્યાસભા સંકુલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. અમરેલીમાં સામાજીક વનિકરણ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાનો 66મો વનમહોત્સવ ઉજવાશે. તા. 30મીએ અહીના વિદ્યાસભા સંકુલ ખાતે સવારે 10:30 કલાકે યોજાનાર કાર્યક્રમમાં પ્રભારી મંત્રી જયંતીભાઇ કવાડીયા, સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શરદભાઇ લાખાણી, ધારાસભ્ય વી.વી.વઘાસીયા, હિરાભાઇ સોલંકી, નલીનભાઇ કોટડીયા, બાવકુભાઇ ઉંધાડ, પરેશભાઇ ધાનાણી, અંજુ શર્મા, એસ.પી.સીસોદીયા, કલેકટર એચ.આર.સુથાર, નાયબ વન સંરક્ષક એમ.આર.ગુજજર વિગેરે ઉપસ્થિત રહેશે. પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામા આવ્યું છે. તકે મહાનુભાવો તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહેશે.

No comments: