Thursday, July 30, 2015

ધારીના હડાળા રેંજમા બીમાર સિંહણનુ સારવાર બાદ મોત.

Bhaskar News, Dhari

Jul 06, 2015, 00:03 AM IST

- સિંહણને ન્યુમોનિયાની સારવાર કારગત ન નીવડી

ધારી: ગીરપુર્વની હડાળા રેંજમા એક બિમાર સિંહણ આંટાફેરા મારતી હોય વનવિભાગને જાણ થતા આ સિંહણને પાંજરે પુરી સારવાર માટે જસાધાર ખસેડવામા આવી હતી. જેમાં સારવાર કારગત ન નિવડતા સિંહણનું મોત નિપજયુ હતુ.

સિંહણના મોતની આ ઘટના ગીરપુર્વના હડાળા રેંજમા બની હતી. અહી હડાળા નેસ વિસ્તારમાં એક બિમાર સિંહણ આંટાફેરા મારતી હોવાની જાણ થતા વન વિભાગની ટીમે બે દિવસની શોધખોળ બાદમાં લોકેશન મળતા તેને રીંગકેટ પાંજરામા પુરી જસાધાર એનીમલ કેર સેન્ટરમાં લઈ જવાતા ડો. હિતેષ વામજા દ્વારા સિંહણને સારવાર આપી હતી. પાંચથી આઠ વર્ષની ઉંમરની આ સિંહણને સારવાર કારગત ન નિવડતા તેનુ મોત નિપજયું હતુ.

No comments: