Tuesday, January 31, 2017

પશુ નિદાન કેમ્પમાં 2335 પશુઓને સારવાર અપાઇ

DivyaBhaskar News Network | Jan 22, 2017, 03:50 AM IST
ચા-નાસ્તાની વ્યવસ્થા ઉભી કરાઇ


માળિયાહાટીનામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ નિદાન-સારવાર ઓપરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 2335 જેટલા પશુઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી. સાથે ઉપસ્થિત પશુપાલકો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી.

માળિયા હાટીનામાં વિરડી-પાંજરાપોળમાં વિનામુલ્યે પશુ રોગ નિદાન કેમ્પ નલીનીબેન શેઠ, મધુબેન શેઠ, જિલ્લા પંચાયત જૂનાગઢ પશુપાલન વિભાગ દ્વારા યોજાયેલ હતો. જેમાં ડોકટરો દ્વારા 2335 પશુઓની સારવાર આપવામાં આવી હતી. તેમજ પશુપાલકો માટે ચા-નાસ્તા તેમજ પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા દાતાઓ તરફથી કરવામાં આવી હતી. કેમ્પમાં રમેશભાઇ શેઠ, ડો.કારૈયા, ડો.ડાભી, ડો.રૂપાવટી, ડો.કનારા, ડો.કાચા, ડો.પરમાર, મહેન્દ્રભાઇ ગાંધી, રાજુભાઇ દેશાઇ, મણીભાઇ સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં આસપાસનાં ગામોનાં પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પશુ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.

No comments: