Monday, January 30, 2017

રાયડીમાં સિંહ- દિપડાનાં આંટાફેરાથી લોકોમાં ભય

DivyaBhaskar News Network | Jan 01, 2017, 05:40 AM IST
વાડી ખેતરોમાં જતા ખેડૂતો અને મજુરોમાં ફફડાટ

ખાંભાતાબાના રાયડી ગામ આસપાસ છેલ્લા ઘણા સમયથી સિંહ અને દિપડાના આંટાફેરાથી ગ્રામજનોમા ભય જોવા મળી રહ્યો છે. અહી થોડા દિવસ પહેલા સાવજોએ બે પશુઓને ફાડી ખાધા હતા ત્યારે અહી આંટાફેરા મારતા દિપડા અને સાવજોને જંગલ તરફ ખસેડવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. રાયડી ગામ આસપાસ છેલ્લા કેટલાક સમયથી સાવજો અને દિપડાના આંટાફેરાના કારણે ગ્રામજનોમા ભય ફેલાયો છે. અહી થોડા દિવસ પહેલા સાવજોએ એક ગાય અને એક વાછરડીનુ મારણ કરતા ગ્રામજનોમા ભય ફેલાયો હતો. ત્યારે અહી સિંહ અને દિપડાના આંટાફેરા વધી રહ્યાં હોય વાડી ખેતરોમા કામ કરતા ખેડૂતો અને મજુરોમા પણ ભય જોવા મળી રહ્યો છે. અહી વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તેમજ સાવજો અને દિપડાને જંગલ તરફ ખસેડવાની કામગીરી હાથ ધરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. અંગે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ કરવામા આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

No comments: