Monday, January 30, 2017

ધારીના ગોપાલગ્રામમાં ફરી સિંહોનો આંતક, ગાયનું કર્યું મારણ

Jaydev varu, Amreli | Jan 17, 2017, 01:21 AM IST

  • ગામમાં ઘુસી ગયા હતાં અને ભર બજારે એક ગાયનું મારણ કર્યુ હતું.
અમરેલી: અમરેલી જીલ્લામાં રાજુલા-જાફરાબાદ વિસ્તાર હોય કે લીલીયા-સાવરકુંડલા વિસ્તાર કે પછી અમરેલી-ધારી અને ખાંભાનો વિસ્તાર હોય રેવન્યુ વિસ્તારમાં ઠેર ઠેર સાવજો પથરાયેલા છે. જંગલમાં વસતા સાવજો વન્ય પ્રાણીઓ પર વધુ આધારીત હોય છે. પરંતુ રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો વન્ય પ્રાણીઓ ઉપરાંત પાલતુ પશુઓનો પણ શિકાર કરતા રહે છે. ખાસ કરીને આ સાવજો કોઇ ગામમાં ઘુસી જાય ત્યારે ભારે ફફડાટ ફેલાઇ છે. 
 
માલધારીના જોકમાં ચાર ઘેંટાને પણ ઇજાગ્રસ્ત કરી દીધા
 
ચલાલા નજીક આવેલ ગોપાલગ્રામમાં થોડા દિવસો પહેલા સાવજો દેખાયા બાદ ગઇરાત્રે ફરી અહીં સાવજો આવ્યા હતાં. ગામલોકોના જણાવ્યા અનુસાર અહીં વહેલી સવારે ચાર સાવજો ગામમાં ઘુસી ગયા હતાં અને ભર બજારે એક ગાયનું મારણ કર્યુ હતું. આ ઉપરાંત એક માલધારીના જોકમાં ચાર ઘેંટાને પણ ઇજાગ્રસ્ત કરી દીધા હતાં. આ વિસ્તારમાં અવાર નવાર સાવજો ચડી આવતા હોય લોકોમાં ફફડાટ છે. હજુ બે દિવસ પહેલા જ સાવજો ગામમાં ઘુસી ગયા હતા.

No comments: