Tuesday, January 31, 2017

ભવનાથમાં 24 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ

DivyaBhaskar News Network | Jan 20, 2017, 05:05 AM IST
વહિવટી તંત્રે તૈયારી શરૂ કરી દીધી

ભજન,ભોજનઅને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શિવરાત્રીનો મેળો. શિવરાત્રીનાં મેળામાં દેશભરમાંથી લાખો ભાવિકો આવતા હોય છે. અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. શિવરાત્રીનાં મેળામાં દેશભરમાંથી દિગંબર સાધુઓ આવતા હોય છે.

જૂનાગઢમાં ચાલુ વર્ષે તા. 24 ફેબ્રુઆરીથી શિવારાત્રીનાં મેળાનો પ્રારંભ થશે. અને પાંચ દિવસ ચાલશે. મેળાને લઇ જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાંચ દિવસિય મેળામાં જુદાં-જુદાં વિભાગો અને કચેરીઓ તેમની સર્વોતમ સેવા આપી શકે તે માટે આગોતરૂ આયોજન કરવા કલેકટરે સુચતાઓ આપી છે. ખાસ કરીને ટ્રાફીકને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અને મહાનગર પાલિકા દ્વારા રસ્તા રીપેરીંગ,પાણી, સફાઇ અને જાહેર આરોગ્યની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે તે માટે સુચનાઓ અપાઇ છે. તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

No comments: