Tuesday, January 31, 2017

ખુંભડી ગામે દિપડાનો આતંક, પાંજરે પુરવા ખેડૂતોની માંગ

DivyaBhaskar News Network | Jan 25, 2017, 05:55 AM IST
હજુ એક અઠવાડિયા પહેલા ભેંસનું મારણ કર્યું હતું

વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભયનો માહોલ

છેલ્લાકેટલાક સમયથી સિંહ-દિપડા જેવા વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તાર છોડી માનવ વસાહત તરફ ચઢી આવ્યા છે. અને નિર્દોષ પશુઓનાં શિકાર કરી રહ્યા છે. તેમજ માનવ પર પણ હુમલાનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે વંથલીનાં ખુંભડી ગામે દિપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વંથલી તાલુકાનાં ખુંભડી ગામે વાડી વિસ્તારમાં દિપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે એક અઠવાડીયા પહેલા એક પશુનું મારણ કર્યું હતુ. જેથી વિસ્તારમાં આંટાફેરા કરતા દિપડાની વહેલી તકે વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવે તેવી સરપંચ સંજયભાઇ જાદવ અને અશ્વીનભાઇ બાલસરા તેમજ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. હવે જોવું રહ્યું કે વન વિભાગ દ્વારા પંથકમાં કયારે પાંજરૂ મુકવામાં આવે છે અને દિપડાને પાંજરે કેદ કરવામાં આવે છે.

હાલ ખેડૂતો શિયાળુ પાકમાં પાણી પીવડાવવાની કામગીરી કરી રહ્યા છે અને હવે ટુંક સમયમાં પાક તૈયાર થશે. અને તેમની રખેવાળી કરવા જતાં પણ ડરી રહ્યા છે. જેથી વન વિભાગે તાકીદે પાંજરૂ ગોઠવવા માંગ ઉઠવા પામી છે.

No comments: