Monday, January 30, 2017

અબોલ બીમાર પશુઓને રઝળતા જોઇ પ્રાણીઓ માટે એમ્બ્યુલન્સનું દાન

Bhaskar News, Khambha | Jan 02, 2017, 01:16 AM IST
ખાંભાઃ ખાંભામા અજમેરા પરિવારની દિકરી અને બગસરા ખાતે સાસરે અને હાલ મુંબઇને કર્મભુમિ બનાવી એવા ગાઠાણી પરિવાર દ્વારા ખાંભામા રખડતા ભટકતા પશુઓને સમયસર સારવાર મળી રહે તેવા હેતુથી પશુ એમ્બ્યુલન્સનુ દાન કરી સેવાકીય કાર્યનો આરંભ કર્યો છે.ઇલાબેન ચંદ્રકાંતભાઇ ગાઠાણીએ ખાંભા શહેરમા રખડતા ભટકતા પશુઓને સમયસર સારવાર મળી રહે અને તેની જીંદગી બચી શકે તેવા ઉમદા હેતુથી પોતાની જન્મભુમિમા પશુ એમ્બ્યુલન્સનુ દાન કર્યુ છે.

તેમના પુત્ર ભાવિન ગાઠાણી મુંબઇ ખાતે કરૂણા નામની સંસ્થા ચલાવે છે અને આ સંસ્થા વર્ષોથી અબોલ પશુઓની વિનામુલ્યે સારવાર કરે છે. આ પરિવાર જયારે ખાંભા આવતો ત્યારે અહી અનેક પશુઓ બિમાર હાલતમા આંટાફેરા મારતા જોઇ તેમને અહી પશુ એમ્બ્યુલન્સ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. ભાવિનભાઇ ગાઠાણીએ જણાવ્યું હતુ કે આ સેવા અવિરત શરૂ રહે તે માટે અહીના રાણેશ્વર ગૃપની સેવાકીય પ્રવૃતિ નિહાળી ગૃપના કશ્યપભાઇ પંડયાને જવાબદારી સોંપવામા આવી છે. આ પશુ એમ્બ્યુલન્સમા એક ડોકટર, એક હેલ્પર અને એક ડ્રાઇવર તમામ પ્રકારની પશુ માટેના સારવારના સાધનો અને દવાઓ સાથે દોડશે.
 
સંસ્થા દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ
ખાંભામા હરતા ફરતા પશુ એમ્બ્યુલન્સનુ સંચાલન કરવાના છે તે હેતુથી કશ્યપભાઇ પંડયાએ જણાવ્યું હતુ કે મને આ સેવા કરવાનો જે મોકો મળ્યો છે તે બરોબર નિભાવીશ. આ પશુ એમ્બ્યુલન્સનો લાભ લેવા માટે આ સંસ્થા દ્વારા બે હેલ્પલાઇન નંબર શરૂ કરવામા આવ્યા છે જે 96876-16108 અને 94285-59002 રાખેલ છે. આ હેલ્પ લાઇન સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

સેવાનું સપનું સાકાર થયું: ઇલાબેન
દાતા ઇલાબેન ગાઠાણીએ જણાવ્યું હતુ કે જયારે હું અને મારો પરિવાર ખાંભા આવતા ત્યારે અનેક અબોલ પશુઓ બિમાર હાલતમા જોતા ત્યારે જ મનોમન આ સેવા શરૂ કરવા નક્કી કર્યુ હતુ. જે સપનુ આજે સાકાર થયુ છે.

No comments: