Tuesday, January 31, 2017

વન્ય પ્રાણી અવર-જવરવાળા વિસ્તારમાં બન્યો બીજો બનાવ

DivyaBhaskar News Network | Jan 24, 2017, 06:15 AM IST
ગડુમેઘલ નદીનાં ખરડા વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સતત અવર-જવર રહેતી હોય છે. ત્યારે અહીં આવેલા રેલ્વે ટ્રેકનાં પુલ પાસે એક દિપડો ટ્રેન હડફેટે ચઢી ગયો હતો. અને તેનું મોત થયું હતુ.

ગડુ મેઘલ નદીનાં ખરડા વિસ્તારમાં આવેલ રેલ્વે ટ્રેકનાં પુલ પાસે સોમવારે વહેલી સવારે સોમનાથ એકસપ્રેસ ટ્રેન પસાર થઇ રહી હતી. ત્યારે દિપડો અચાનક આડે પડતા કપાઇ ગયો હતો. અને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં પી.એમ કરીને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગનાં આરએફઓ વી.એમ.પરમારને થતાં ગઢવીભાઇ, શિલુભાઇ, પરમાર ભાઇ, જોરાભાઇ, રામભાઇ સહીતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને વધુ તપાસ હાથ ધરી હતી.

No comments: