Friday, March 29, 2019

જૂનાગઢ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8 વાગ્યે કેસર કેરીનાં

જૂનાગઢ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8 વાગ્યે કેસર કેરીનાં 100 બોક્સની 1000 થી 1500 નાં ભાવે હરરાજી થઇ. એ સાથેજ અહીં કેસર...

DivyaBhaskar News Network | Updated - Mar 29, 2019, 03:00 AM
જૂનાગઢ યાર્ડમાં આજે વ્હેલી સવારે 8 વાગ્યે કેસર કેરીનાં 100 બોક્સની 1000 થી 1500 નાં ભાવે હરરાજી થઇ. એ સાથેજ અહીં કેસર કેરીની સીઝન શરૂ થઇ ગઇ છે. આ કેરી ડુંગરપુરનાં આંબાવાડિયાની છે. જ્યારે તાલાલાની કેરી હજુ એકાદ મહિના પછી બજારમાં આવશે અને વંથલીની કેરી જુન મહિનામાં આવશે.

જૂનાગઢ કૃષિ યુનિ.નાં નિવૃત્ત પ્રાધ્યાપક અને કેરી પર સંશોધન કરનાર ડો. આર. આર. વીરડીયા કહે છે, ગિરનાર પર્વતની આસપાસ જે આંબાનાં બગીચાઓ છે એ બધી જ જમીનો પાણીનાં નિતારવાળી છે. એટલેકે, ગમે એટલો વરસાદ થયો હોય, પણ ચોમાસું જાય એટલે જમીનમાંથી ભેજ પણ જલ્દી ઓછો થઇ જાય છે. કારણકે, જમીનો મોરમવાળી અને ઢોળાવવાળી છે. એટલે આંબાને રેસ્ટીંગ પીરીયડ વધુ મળે અને તેના પર ફ્લાવરીંગ વ્હેલું આવે છે. વળી જમીનમાંથી ભેજ વ્હેલો ચાલ્યો જતાં આંબામાં કાર્બન-નાઇટ્રોજનનું પ્રમાણ મેન્ટેન થાય છે. આમ અહીંની કેસર કેરી તાલાલા કરતાં 15 દિવસ વ્હેલી બજારમાં આવી જાય છે. જ્યારે વંથલી ગિરનારથી તાલાલા કરતાંયે નજીક હોવા છત્તાં ત્યાંની કેરી સૌથી છેલ્લે બજારમાં આવે છે. કારણકે, ત્યાં ચોમાસા પછીયે જમીનમાં ભેજ લાંબા સમય સુધી જળવાયેલો રહે છે. આથી ફ્લાવરીંગ પણ મોડું થાય છે. અને કેરી છેક જુન માસમાં બજારમાં આવે છે. એમ પણ ડો. વીરડીયાએ જણાવ્યું હતું.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-in-the-junagadh-yard-today-at-8-o39clock-kesar-mango-030005-4220965-NOR.html

No comments: