Friday, March 29, 2019

ભવનાથ જંગલમાંથી પ્રાણીઓએ ફાડી ખાધેલ આધેડનો મૃતદેહ મળ્યો

આત્મહત્યા કર્યા બાદ ઘટના બની હોવાનું તારણ

DivyaBhaskar News Network | Updated - Mar 17, 2019, 03:00 AM
જૂનાગઢ ભવનાથના જંગલમાંથી પ્રાણીઓએ ફાડી ખાધેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થતી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ તપાસ ભવનાથ પોલીસે હાથ ધરી છે.

ભવનાથ જિલ્લા પંચાયત પાછળ આવેલા જંગલમાં માથુ કપાેલી લાશ હોવાની જાણ થતા ભવનાથ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને મૃતદેહને તાત્કાલીક સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ મૃતદેહ મુળ જૂનાગઢના અને હાલ મહુવા રહેતા વિનયભાઇ મોહનભાઇ જોષીનો હોવાનું જાણવા મળ્યું હતું અને આત્મ હત્યા કરી હોવાને કારણે મૃતદેહ જંગલમાં પડી રહ્યો હોવાને કારણે જંગલી પ્રાણીઓએ મૃતદેહને ફાડી ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મૃતદેહનો પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ વધુ હકીકત સામે આવશે. આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સાહિનભાઇ ચલાવી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-animals-from-the-forest-of-bhavnath-forest-got-a-corpse-030012-4143208-NOR.html

No comments: