Friday, March 29, 2019

જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા

જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા હોય છે અને તરસ સીપાવા ખેડુતોની વાડીમાં પણ ઘુસી...

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 02:56 AM 
જૂનાગઢના ગીરનાર વિસ્તારમાં વસતા સિંહો પાણીની શોધમાં આમતેમ ફરતા હોય છે અને તરસ સીપાવા ખેડુતોની વાડીમાં પણ ઘુસી જતા હોય છે જેને લઇને ખેડુતોમાં ભય સેવાઇ રહે છે તે ઉપરાંત ખુલ્લા કુવામાં સિંહો પડવાના બનાવો બનતા રહે છે તેમ છતાં પણ વન વિભાગ દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. જૂનાગઢ ગીરનાર તેમજ આજુબાજુના ગામડાઓની વાડી વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવામાં વન્યપ્રાણીઓ ખાબક્તા હોવાને કારણે મોત નિપજતા હોય છે તેમ છતાં પણ વન વિભાગ કુંભ કર્ણની નિંદ્રામાંથી જાગતું નથી. ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ગીરનારના જંગલમાં વસતા સિંહ, દિપડા સહિતના વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં ખેડુતોના ખેતરો સુધી પહોંચી જાય છે પરંતુ ખેતરોમાં રહેલા ખુલ્લા કુવાઓ સિંહો સહિતના વન્યપ્રાણીઓ માટે મોત બની રહે છે. કુવાઓમાં પડતા વન્ય પ્રાણીઅોને લઇને વન વિભાગ દ્વારા કુવાઓના કાંઠા બાંધવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ જૂનાગઢ વન વિભાગ આ કામગીરી માત્ર ચોપડામાં જ કરી છે. ગિરનાર વિસ્તારોમાં હજુ પણ ખુલ્લા કુવાઓને કારણે વન્ય પ્રાણીઓ ખાબકી રહ્યા છે. 
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-lions-living-in-girnar-area-of-junagadh-walking-around-in-search-of-water-025610-4128136-NOR.html

No comments: