Tuesday, October 2, 2007

Aaj Nu Aushadh!

Please Visit Our Main Blog:

http://girasiaticlion.blogspot.com/

કુટજારિષ્ટ-ત્રણ આચરણ
(1) આયુર્વેદનું એક ઉત્તમ દ્રવ ઔષધ છે 'કુટજારિષ્ટ.' આ દ્રવ ઔષધમાં પડતું મુખ્ય ઔષધ છે કડાછાલ. જે કુટજ વૃક્ષની છાલ છે. આ કડાછાલમાંથી કટજવટી, કુટજ ઘનવટી અને કુટજારિષ્ટ વગેરે ઔષધો બનાવવામાં આવે છે. જેમને પચ્યા વગરના એકદમ પાતળા ઝાડા થતા હોય, ચીકાશવાળા-મ્યુક્સ સાથે ઝાડા થતા હોય, જૂનો મરડો હોય, આંતરડાંનો સોજો હોય, અલ્સરેટિવ કોલાયટીસ હોય એમાં કુટજારિષ્ટ ઉત્તમ ફાયદો કરે છે. ચારથી પાંચ ચમચી કુટજારિષ્ટ એમાં એટલું જ પાણી મેળવીને સવારે, બપોરે અને રાત્રે પીવો. પચ્યા વગરના ઝાડામાં પણ હિતાવહ છે.
(૨) આયુર્વેદના મતે બપોરે જમ્યા પછી તાજી મોળી છાશ પીવી. રોજ રાત્રે જમ્યા પછી ઉકાળીને ઠંડું કરેલું દૂધ પીવું. સૂર્યોદય પહેલાં પાણી પીવું. આ ત્રણનું આચરણ કરનારને મોટા ભાગના રોગ થતાં નથી.

No comments: